Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > નાશિક-શિરડી હાઈવે પર પ્રવાસી બસ અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત, ૧૦ લોકોનાં મોત

નાશિક-શિરડી હાઈવે પર પ્રવાસી બસ અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત, ૧૦ લોકોનાં મોત

13 January, 2023 11:19 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મુંબઈથી શિરડી જઈ રહેલી ખાનગી બસ અને શિરડીથી સિન્નર બાજુ જઈ રહેલી માલવાહક ટ્રક સામસામે અથડાઈ હતી. પઠારેથી પીંપળવાડી ટોલ બૂથ વચ્ચે વન-વે ટ્રાફિક ચાલતો હતો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


નાશિક (Nashik)ના પથારે પાસે એક ભયાનક અકસ્માત થયો છે. આ ભયાનક અકસ્માતમાં 10 લોકોનાં મોત થયા હોવાના અહેવાલ છે. મૃતકોના પરિજનોને 5 લાખની સહાયની જાહેરાત કરવામાં આવી છે. તેમ જ અનેક મુસાફરો ઘાયલ થયા હોવાનો અહેવાલ છે. નાશિક-સિન્નર શિરડી રૂટ પર મુસાફરી કરતી વખતે પથારે નજીક બસ અને ટ્રક વચ્ચે આ ગંભીર અકસ્માત (Accident on Shirdi Nashik Highway) સર્જાયો હતો.

સિન્નર-શિરડી હાઈવે પર, પથારે શિવરામાં ઈશાનેશ્વર મંદિરની કમાન પાસે સવારે આ દુર્ઘટના બની છે. ખાનગી બસ અને ટ્રક સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 10 લોકોનાં મોત થયાં છે.



મુંબઈથી શિરડી જઈ રહેલી ખાનગી બસ અને શિરડીથી સિન્નર બાજુ જઈ રહેલી માલવાહક ટ્રક સામસામે અથડાઈ હતી. પઠારેથી પીંપળવાડી ટોલ બૂથ વચ્ચે વન-વે ટ્રાફિક ચાલતો હતો. ત્યારે આ અકસ્માત થયો હતો.


આ બસમાં અંબરનાથ થાણે વિસ્તારના લગભગ 50 મુસાફરો શિરડી જઈ રહ્યા હતા. સાઈના દર્શન માટે ઉલ્હાસનગરથી 15 બસો રવાના થઈ હતી, જેમની એક બસને આ ભયંકર અકસ્માત નડ્યો છે. દરમિયાન, અકસ્માતમાં બસનો કચ્ચરઘાણ બોલાઈ ગયો હતો.

મૃતકોમાં 7 મહિલાઓ અને 3 પુરુષો


મૃત્યુ પામેલા દસ લોકોમાંથી સાત મહિલા અને ત્રણ પુરુષો હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘાયલોને સાંઈબાબા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાં કેટલાક ઘાયલોની હાલત હજુ પણ નાજુક છે. ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસ અને પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. અકસ્માતનું કારણ જાણવા હેતુ તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો: મુંબઈ, ડોમ્બિવલી અને થાણે વચ્ચેનું અંતર ઘટશે

9 જાન્યુઆરીએ પણ મિની બસ પલટી જવાને કારણે અકસ્માત

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં 9 જાન્યુઆરીએ પણ એક માર્ગ અકસ્માત થયો હતો. નાશિક જિલ્લામાં પ્રવાસીઓને લઈ જતી મીની બસ પલટી જતાં 14 લોકો ઘાયલ થયા હતા, જેમાંથી 6 લોકોની હાલત ગંભીર છે. આ અકસ્માત ત્ર્યંબકેશ્વર-નાશિક રોડ પર બપોરે 2 વાગ્યાની આસપાસ થયો હતો, જ્યારે પ્રવાસીઓનું એક જૂથ બ્રહ્મગિરી પર્વતમાળાની મુલાકાત લીધા પછી તેમની હૉટેલમાં પરત ફરી રહ્યું હતું.

Whatsapp-channel Whatsapp-channel

13 January, 2023 11:19 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK