પ્રવાસીઓ પાસેથી એક ફેરી માટે ૫૦ રૂપિયા ભાડું લેવામાં આવશે.
ફાઇલ તસવીર
છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પરથી દેશમાં તેમ જ વિદેશમાં અનેક ફ્લાઇટ જતી હોય છે. ઍરપોર્ટ પર ઇન્ટરનૅશનલ તેમ જ ડોમેસ્ટિક ટર્મિનલ અલગ-અલગ હોવાથી અનેક પ્રવાસીઓને એક ટર્મિનલ પરથી બીજા ટર્મિનલ પર જવાની જરૂર પડે છે. આવા પ્રવાસીઓ માટે આ બન્ને ટર્મિનલ પર જવા માટે કિફાયતી દરે એસી બસ-સર્વિસ આજથી શરૂ કરવામાં આવી છે. આ સર્વિસ બન્ને ટર્મિનલ પર સામાન્ય રીતે ૨૦થી ૩૦ મિનિટના અંતરે આખું સપ્તાહ ૨૪ કલાક માટે કાર્યરત રહેશે. પ્રવાસીઓ પાસેથી એક ફેરી માટે ૫૦ રૂપિયા ભાડું લેવામાં આવશે.