Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > રાયગડ પર ૮૦,૦૦૦ શિવપ્રેમીઓનો જલ્લોષ

રાયગડ પર ૮૦,૦૦૦ શિવપ્રેમીઓનો જલ્લોષ

Published : 07 June, 2025 12:24 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકને ૩૫૧ વર્ષ થયાં

રાયગડમાં શિવપ્રેમીઓનો જલ્લોષ

રાયગડમાં શિવપ્રેમીઓનો જલ્લોષ


હિન્દવી સ્વરાજ્યની સ્થાપના કરી એ માટે ઝઝૂમીને મોગલોને હંફાવનાર શિવાજી મહારાજના રાજ્યાભિષેકને ગઈ કાલે ૩૫૧ વર્ષ થયાં હતાં. ૧૬૭૪ની ૬ જૂને તેમનો રાજ્યાભિષેક થયો હતો અને તેઓ છત્રપતિ કહેવાયા હતા. ગઈ કાલે આ પ્રસંગે તેમની રાજધાની એવા રાયગડ કિલ્લા પર ધામધૂમથી તેમના રાજ્યાભિષેકની યાદ તાજી કરવામાં આવી હતી. ઢોલનગારાં, મંત્રોચ્ચાર અને શંખનાદ સાથે ગઈ કાલે તેમના રાજ્યાભિષેકનો પ્રસંગ પાર પાડવામાં આવ્યો હતો. સમાજના દરેક થરના અંદાજે ૮૦,૦૦૦ લોકોએ એમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.


અખિલ ભારતીય શિવ રાજ્યાભિષેક ઉત્સવ સમિતિ દુર્ગરાજ રાયગડ દ્વારા એનું આયોજન કરવામાં આવ્યું હતું. કિલ્લા રાયગડ ઑથોરિટીના અધ્યક્ષ અને શિવાજીના વંશજ સંભાજી છત્રપતિ અને શહાજી રાજે પણ રાયગડ કિલ્લા પર હાજર રહ્યા હતા.



બે દિવસ ચાલેલા આ પ્રસંગની શરૂઆત રાયગડની તળેટીમાં આવેલાં ૨૧ ગામના રહેવાસીઓ દ્વારા ગુરુવારે બપોરે ગઢપૂજનથી થઈ હતી. એ પછી શિરકાઈ દેવીના મંદિરમાં ગોંધળ (ભજન) અને એ પછી જગદીશ્વર મંદિરમાં કીર્તન કરવામાં આવ્યું હતું. રાજ્યભરમાંથી આવેલા શિવાજીના સમર્થકોમાંથી કેટલાક યુવાનોએ બહાદુરી દર્શાવતાં કરતબ કર્યાં હતાં અને ગુરુવારે રાતે છત્રપતિ શિવાજી મહારાજને યાદ કરીને તેમના માનમાં શાહિરોએ પોવાડા એટલે કે દેશભક્તિને ઉજાગર કરતા ખાસ પ્રકારનાં ગીત ગાયાં હતાં.


Whatsapp-channel Whatsapp-channel

07 June, 2025 12:24 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK