ઋતુજન્ય રોગચાળા પર કાબૂ મેળવવા BMC ઍક્શન મોડમાં
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ શહેરમાં ચોમાસાની ઋતુ દરમ્યાન મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોના કેસોમાં ચિંતાજનક વધારો નોંધાયો છે. BMCના પબ્લિક હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરાયેલા હેલ્થ રિપોર્ટ અનુસાર ૧ જાન્યુઆરીથી ૧૪ જુલાઈના સમયગાળામાં ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીએ મુંબઈમાં ડેન્ગીના કેસોમાં ૨૭.૮ ટકા અને મલેરિયાના કેસોમાં ૧૮.૨ ટકાનો નોંધપાત્ર વધારો થયો છે.
આ આંકડા સામે આવ્યા બાદ પ્રશાસન હરકતમાં આવ્યું છે અને રોગચાળા પર નિયંત્રણ મેળવવા માટે સર્વેલન્સ તથા જંતુનાશક દવાઓના છંટકાવની કામગીરી યુદ્ધના ધોરણે તેજ કરી દીધી છે.
BMCએ ઘર-ઘર સર્વેલન્સ અંતર્ગત ૧ જૂનથી ૧૪ જુલાઈ વચ્ચે ૧૦.૬૯ લાખ ઘરોનો સર્વે કરીને ૩૬.૮૧ લાખ નાગરિકોના સ્વાસ્થ્યની તપાસ કરી છે અને લોહીના ૧,૦૦,૪૭૨ નમૂના લીધા છે. મચ્છરોનાં ઉત્પત્તિસ્થાનો શોધવા માટે ૩૦૦૦ બાંધકામ-સાઇટોની તપાસ કરવામાં આવી હતી.
ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે નોંધાયેલા કેસ (૧ જાન્યુઆરીથી ૧૪ જુલાઈ)
રોગ ૨૦૨૫ ૨૦૨૬
મલેરિયા ૩૧૧૫ ૩૬૮૧
ડેન્ગી ૭૩૪ ૯૩૭
લેપ્ટોસ્પાયરોસિસ ૧૩૬ ૧૫૭
H1N1 ઇન્ફ્લુએન્ઝા ૪૨ ૧૧૩
ચિકનગુનિયા ૧૭૯ ૩૧
ગેસ્ટ્રોએન્ટેરાઈટીસ (ઝાડા-ઊલટી) ૪,૮૩૧ ૩,૮૬
કોવિડ-૧૯ ૧,૦૪૯ ૭૧
