Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > World Peace Day 2022: જાણો કેમ ઉજવાય છે વિશ્વ શાંતિ દિવસ, શું છે આ વર્ષની થીમ?

World Peace Day 2022: જાણો કેમ ઉજવાય છે વિશ્વ શાંતિ દિવસ, શું છે આ વર્ષની થીમ?

21 September, 2022 02:51 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

યુનાઈટેડ નેશન્સ અનુસાર, વિશ્વ શાંતિનો અર્થ ફક્ત હિંસા ન થાય તે પૂરતો મર્યાદિત નથી, પરંતુ એવા સમાજની રચના કરવાનો છે, જ્યાં દરેક વ્યક્તિ અનુભવે કે તે આગળ વધી શકે છે અને વિકાસ કરી શકે છે

પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક

પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક


દર વર્ષે 21મી સપ્ટેમ્બરે સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ (World Peace Day)ની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે યુનાઇટેડ નેશનલ જનરલ એસેમ્બલી (UNGA) રાષ્ટ્રો અને લોકો વચ્ચે અહિંસા, શાંતિ અને યુદ્ધવિરામના આદર્શોને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરે છે. આ વર્ષના વિશ્વ શાંતિ દિવસની થીમ છે `End racism. Build peace.` જેનો અર્થ છે `જાતિવાદનો અંત. શાંતિ જાળવો`.

વિશ્વ શાંતિ દિવસનું મહત્ત્વ



યુનાઈટેડ નેશન્સ (United Nations) અનુસાર, વિશ્વ શાંતિનો અર્થ ફક્ત હિંસા ન થાય તે પૂરતો મર્યાદિત નથી, પરંતુ એવા સમાજની રચના કરવાનો છે, જ્યાં દરેક વ્યક્તિ અનુભવે કે તે આગળ વધી શકે છે અને વિકાસ કરી શકે છે. આપણે એક એવી દુનિયા બનાવવાની છે જ્યાં દરેક વ્યક્તિ જાતિ, સંપ્રદાય, ધર્મને ધ્યાનમાં લીધા વિના સમાન રીતે વર્તે. 1981માં યુનાઈટેડ નેશન્સ દ્વારા જાહેર કરવામાં આવેલ, તે માનવતા માટે તમામ મતભેદોથી ઉપર ઉઠવાનો, શાંતિ માટે પ્રતિબદ્ધ થવા અને શાંતિની સંસ્કૃતિના નિર્માણમાં યોગદાન આપવાનો દિવસ છે.


વિશ્વ શાંતિ દિવસનો ઇતિહાસ

વર્ષ 2001માં 21 સપ્ટેમ્બરને વિશ્વ શાંતિ દિવસ જાહેર કરવામાં આવ્યો હતો. આ પહેલા, તે સપ્ટેમ્બરના ત્રીજા મંગળવારે વાર્ષિક સામાન્ય સભાના ઉદ્ઘાટન સત્રની ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસની યાદમાં, ન્યુયોર્ક સિટીમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં યુએન પીસ બેલ વગાડવામાં આવે છે. જાપાનના સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જૂન 1954માં પીસ બેલનું દાન કરવામાં આવ્યું હતું. બેલ ટાવર હનામિડોની તર્જ પર બાંધવામાં આવ્યું હતું જે ગૌતમ બુદ્ધનો જન્મ જ્યાં થયો હતો તેનું પ્રતીક છે.


શા માટે કબૂતર શાંતિનું પ્રતીક બની ગયું?

તેની પાછળ ઘણી ઐતિહાસિક કથાઓ છે. એવું માનવામાં આવે છે કે `બાઇબલ`ના એક પ્રસંગમાં, કબૂતરો ભયંકર પૂર સમયે માનવોને મદદ કરતાં દેખાયા હતા. એવું પણ કહેવાય છે કે પ્રખ્યાત સ્પેનિશ કલાકાર `પાબ્લો પિકાસો` દ્વારા તેમના ચિત્રોમાં કબૂતરોનો ઉપયોગ શાંતિના સંદેશવાહક તરીકે તેમની લોકપ્રિયતા વધારવામાં ઘણો ફાળો આપે છે. યુદ્ધની દુર્ઘટના દર્શાવતી તેમની પ્રખ્યાત ગ્યુર્નિકા પેઇન્ટિંગમાં, કબૂતરોને ઘાયલ ઘોડાઓ અને પશુઓને સાજા કરતા દર્શાવવામાં આવ્યા છે. વધુમાં 1949માં પિકાસોએ પેરિસમાં યોજાયેલી વર્લ્ડ પીસ કૉંગ્રેસ માટેના પોસ્ટરમાં સફેદ કબૂતર દોર્યું હતું.

આ પણ વાંચો: ગ્રીન કાર્ડ‍્સ માટેની અમેરિકન સ્કીમ માટે હજારો ધનિક ભારતીયો કતારમાં

Whatsapp-channel Whatsapp-channel

21 September, 2022 02:51 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK