Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > સાઉદી અરેબિયાએ ૫૬,૦૦૦ પાકિસ્તાની ભિખારીઓને દેશમાંથી હાંક્યા

સાઉદી અરેબિયાએ ૫૬,૦૦૦ પાકિસ્તાની ભિખારીઓને દેશમાંથી હાંક્યા

Published : 19 December, 2025 08:55 AM | IST | Pakistan
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

FIAના ડિરેક્ટર જનરલનું કહેવું છે કે આને કારણે પાકિસ્તાનની પ્રતિષ્ઠાને બહુ નુકસાન પહોંચ્યું છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ઘણા લોકો કહે છે કે પાકિસ્તાને દુનિયાને આતંકવાદ સિવાય બીજું કંઈ નથી આપ્યું. જોકે પાકિસ્તાન આરબ દેશોને ભિખારીઓ પણ ખૂબ આપી ચૂક્યું છે. જોકે હવે સાઉદી અરેબિયાએ પાકિસ્તાનના આ ધંધાનું શટર પણ ડાઉન કરવાનું નક્કી કર્યું છે. માત્ર સાઉદી અરેબિયામાં જ ભીખ માગવાના આરોપસર પકડાયેલા ૫૬,૦૦૦થી વધુ પાકિસ્તાનીઓને દેશનિકાલ કરવામાં આવ્યા છે, જ્યારે યુનાઇટેડ આરબ એમિરેટ્સે તો પાકિસ્તાની નાગરિકોને વીઝા આપવા પર જ પ્રતિબંધ લગાવી દીધો છે. ભીખ માગવાના કામને કારણે તેમ જ વધી રહેલી ગુનાહિત પ્રવૃત્તિઓને કારણે સાઉદી અરેબિયા અને યુનાઇટેડ આરબ એમિરેટ્સે પાકિસ્તાની નાગરિકો પર કડક ચાંપતી નજર રાખવાનું શરૂ કરી દીધું છે. સંગઠિત ધોરણે ભીખ માગતી ગૅન્ગને ખતમ કરવાને લીધે અને ગેરકાનૂની ટૂરિઝમને રોકવા માટેનાં પગલાં લેવાને કારણે હજારો પાકિસ્તાનીઓ આ બે દેશમાંથી ડિપોર્ટ થયા છે. પાકિસ્તાનની ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (FIA)ના રિપોર્ટ મુજબ ૫૬,૧૫૪ મુસાફરોને ડિપૉર્ટ કરવામાં આવ્યા છે. FIAના ડિરેક્ટર જનરલનું કહેવું છે કે આને કારણે પાકિસ્તાનની પ્રતિષ્ઠાને બહુ નુકસાન પહોંચ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

19 December, 2025 08:55 AM IST | Pakistan | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK