° °

આજનું ઇ-પેપર
Saturday, 25 March, 2023


પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફનું નિધન, દુબઈમાં લીધા અંતિમ શ્વાસ

05 February, 2023 02:09 PM IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

લાંબા સમયથી હતા બીમાર

પરવેઝ મુશર્રફ (ફાઇલ તસવીર)

પરવેઝ મુશર્રફ (ફાઇલ તસવીર)

પાકિસ્તાન (Pakistan)ના પૂર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફ (Pervez Musharraf)નું ૭૯ વર્ષની વયે નિધન થયું છે. પાકિસ્તાની મીડિયાએ આ સમાચારની પુષ્ટિ કરી છે. પરવેઝ મુશર્રફ લાંબા સમયથી સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ હતા. તેમનું દુબઈમાં સારવાર દરમિયાન નિધન થયું છે.

ધ એક્સપ્રેસ ટ્રિબ્યુનના સમાચાર અનુસાર, ૭૯ વર્ષીય મુશર્રફ એમાયલોઇડિસ નામની બીમારીથી પીડિત હતા. આ રોગમાં, આખા શરીરના અવયવો અને પેશીઓમાં એમાયલોઇડ નામનું અસામાન્ય પ્રોટીન બને છે. જેની તેઓ દુબઈમાં સારવાર લઈ રહ્યા હતા.

મુશર્રફનો જન્મ ૧૧ ઓગસ્ટ, ૧૯૪૩ના રોજ દિલ્હીમાં થયો હતો. ૧૯૯૯માં દેશમાં માર્શલ લો લાગુ થયા બાદ તેમણે ચીફ એક્ઝિક્યુટિવનું પદ સંભાળ્યું અને વર્ષ ૨૦૦૧થી ૨૦૦૮ સુધી પાકિસ્તાનના રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી હતી. જ્યારે વર્ષ ૧૯૯૮થી ૨૦૦૭ સુધી તેઓ આર્મી ચીફ પણ હતા.

આ પણ વાંચો - ચાલો ફરવાઃ અહીંથી પાકિસ્તાની પર્વતોની રેન્જ જોવા મળી

પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફનો પરિવાર વર્ષ ૧૯૭૪માં નવી દિલ્હીથી કરાચી આવ્યો હતો. જ્યાં તેઓ ૧૯૬૪માં પાકિસ્તાની સેનામાં જોડાયા હતા. તેણે આર્મી સ્ટાફ અને કમાન્ડ કોલેજ, ક્વૉટામાંથી સ્નાતક થયા હતા. મુશર્રફે જ મહિનાઓ સુધી ચાલેલા કારગીલ યુદ્ધ માટે મેદાન તૈયાર કર્યું હતું. તત્કાલિન વડા પ્રધાન નવાઝ શરીફે લાહોરમાં તેમના ભારતીય સમકક્ષ અટલ બિહારી વાજપેયી સાથે ઐતિહાસિક શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા પછી યુદ્ધ શરૂ થયું હતું.

કારગીલની નિષ્ફળતા પછી, મુશર્રફે ૧૯૯૯માં તત્કાલીન વડા પ્રધાન શરીફને સત્તાપલટો કરીને ૧૯૯૯થી ૨૦૦૮ સુધી વિવિધ ક્ષમતાઓમાં પાકિસ્તાન પર શાસન કર્યું હતું. માર્ચ ૨૦૧૪માં, મુશર્રફને ૩ નવેમ્બર ૨૦૦૭ના રોજ બંધારણને સસ્પેન્ડ કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યા હતા. ડિસેમ્બર ૨૦૧૯માં, એક વિશેષ અદાલતે મુશર્રફને રાજદ્રોહના કેસમાં મૃત્યુદંડની સજા સંભળાવી હતી.

આ પણ વાંચો - પાકિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે ચેતવણી આપીને કહ્યું...

છેલ્લા પાંચ વર્ષથી પરવેઝ મુશર્રફ બીમાર હતા અને આજે તેમણે દુબઈમાં અંતિમ શ્વવાસ લીધા હતા.

05 February, 2023 02:09 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

ઈન્ટરનેશનલ સમાચાર

અમેરિકામાં ટૂરિસ્ટ કે બિઝનેસ વિઝા પર જનાર નોકરી માટે અરજી કરી શકે

અમેરિકામાં બિઝનેસ અથવા ટૂરિસ્ટ વિઝા બી1 અને બી2 પર જનાર વ્યક્તિ ત્યાં નવી નોકરી માટે અરજી કરી શકે છે અને ઇન્ટરવ્યુ પણ આપી શકે છે.

24 March, 2023 11:19 IST | New York | Gujarati Mid-day Correspondent
ઈન્ટરનેશનલ સમાચાર

હિંડનબર્ગના ટાર્ગેટ પર હવે ‘બ્લૉક’

જૅક ડૉર્સીની આ પેમેન્ટ્સ ફર્મ અપરાધીઓને ઓળખ છુપાવીને અનેક અકાઉન્ટ્સ દ્વારા અપરાધ આચરવા માટે છૂટો દોર આપતી હોવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો

24 March, 2023 09:00 IST | New York | Gujarati Mid-day Correspondent
ઈન્ટરનેશનલ સમાચાર

Accentureમાં કરાશે 19000 કર્મચારીઓની છંટણી, કંપનીએ ઘટાડ્યું નફાનું અનુમાન

મંદીની શંકાથી કંટાળીને પ્રૌદ્યોગિક બજેટમાં કાપની ચિંતાઓ વચ્ચે કંપનીએ ગુરુવારે પોતાની વાર્ષિક રાજસ્વ વૃદ્ધિ અને લાભના પૂર્વાનુમાનો પણ ઘટાડી દીધા છે. કંપનીના તાજેતરના અનુમાન પ્રમાણે સ્થાનિક મુદ્રામાં તેનો વાર્ષિક રાજસ્વ વધારો 8 ટકાથી 10 ટકા હોઈ શકે છે.

23 March, 2023 09:37 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK