Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > બાંગ્લાદેશ: હિન્દુઓ સામેનો હિંસાચાર યથાવત, દીપુ ચંદ્ર દાસ પછી વધુ એક મૉબ લિંચિંગ

બાંગ્લાદેશ: હિન્દુઓ સામેનો હિંસાચાર યથાવત, દીપુ ચંદ્ર દાસ પછી વધુ એક મૉબ લિંચિંગ

Published : 25 December, 2025 09:32 PM | IST | Dhaka
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

બાંગ્લાદેશમાં એક હિન્દુ વ્યક્તિની લોકોના ટોળા દ્વારા હત્યાના થોડા દિવસો પછી જ આ હત્યાની ઘટના બની છે. ૧૮ ડિસેમ્બરના રોજ, મૈમનસિંઘના ભાલુકામાં ફૅક્ટરી કામદાર દીપુ ચંદ્ર દાસને ઇશનિંદાના આરોપમાં માર મારીને મારી નાખવામાં આવ્યો હતો.

અમૃત મંડલ (તસવીર: X)

અમૃત મંડલ (તસવીર: X)


બાંગ્લાદેશમાં હિન્દુઓ સામે હિંસાચાર વધી રહ્યો હોવાનું જોવાનું મળી રહ્યું છે. દીપુ ચંદ્ર દાસની હત્યાના થોડા દિવસો પછી, બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વ્યક્તિની હત્યા કરવામાં આવી હોવાના અહેવાલ સામે આવ્યા છે. પીડિતની ઓળખ 29 વર્ષીય અમૃત મંડલ તરીકે થઈ છે, જેને સમ્રાટ તરીકે પણ ઓળખવામાં આવે છે. પીડિતને રાજબારીના પંગશામાં ટોળાએ માર માર્યો હતો. આ ઘટના બુધવારે રાત્રે બની હોવાનું કહેવાય છે. પંગશા ઉપજિલ્લાના હોસૈનડાંગા ઓલ્ડ માર્કેટમાં રાત્રે 11 વાગ્યાની આસપાસ મંડલ પર હુમલો કરવામાં આવ્યો હતો અને હુમલા પછી તરત જ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, પરિસ્થિતિ ભીડ હિંસામાં પરિણમે તે પહેલાં સ્થાનિક રહેવાસીઓ દ્વારા મંડલ પર ખંડણી માગવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે અમૃત મંડલ તેના રેકોર્ડમાં સ્થાનિક જૂથના નેતા તરીકે નોંધાયેલ છે, જેને ‘સમ્રાટ બહિની’ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે હોસૈનડાંગા ગામનો રહેવાસી હતો. પ્રશાસને હુમલામાં સામેલ લોકોની ઓળખ કરવા અને લિંચિંગ તરફ દોરી જતી ઘટનાઓનો ક્રમ સ્થાપિત કરવા માટે તપાસ શરૂ કરી છે. આ ઘટનાએ વિસ્તારમાં તણાવ પેદા કર્યો છે, જેના કારણે વધુ અશાંતિ અટકાવવા માટે વધારાના પોલીસ કર્મચારીઓને તહેનાત કરવામાં આવ્યા છે.

શું છે ઘટના અને પરિસ્થતિ




બાંગ્લાદેશમાં એક હિન્દુ વ્યક્તિની લોકોના ટોળા દ્વારા હત્યાના થોડા દિવસો પછી જ આ હત્યાની ઘટના બની છે. ૧૮ ડિસેમ્બરના રોજ, મૈમનસિંઘના ભાલુકામાં ફૅક્ટરી કામદાર દીપુ ચંદ્ર દાસને ઇશનિંદાના આરોપમાં માર મારીને મારી નાખવામાં આવ્યો હતો. તેમના મૃત્યુ પછી, કટ્ટરપંથીઓની ભીડે તેમના શરીરને ઝાડ સાથે બાંધીને આગ લગાવી દીધી હતી. બાંગ્લાદેશ હાલમાં ચાલી રહેલી હિંસામાં લઘુમતીઓ ખાસ કરીને હિન્દુઓને નિશાન બનાવીને હુમલાઓ કરવામાં આવી રહ્યા છે. દરમિયાન, ભારત બદલાતી પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે અને બાંગ્લાદેશી અધિકારીઓને દાસની હત્યાના ગુનેગારોને સજા ફટકારવા વિનંતી કરી છે.


દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશનની બહાર VHPના કાર્યકરોનું વિરોધ પ્રદર્શન

બાંગ્લાદેશમાં માર્યા ગયેલા હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની મૉબ લિંચિંગના વિરોધમાં દિલ્હીમાં વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના પ્રદર્શનકારીઓ પોલીસ સાથે અથડાયા હતા આ દરમિયાન પરિસ્થિતિને કાબુમાં લેવા માટે, બાંગ્લાદેશ હાઈ કમિશન નજીક ભારે સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. બાંગ્લાદેશમાં માર્યા ગયેલા હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની મૉબ લિંચિંગનો વિરોધ કરી રહેલા વિશ્વ હિન્દુ પરિષદ (VHP) ના પ્રદર્શનકારીઓ મંગળવારે દિલ્હી પોલીસ સાથે અથડાયા અને બેરિકેડ તોડી નાખ્યા. દિલ્હીમાં બાંગ્લાદેશમાં મોબ લિંચિંગનો વિરોધ કરી રહેલા લોકો રસ્તા પર ઉતરી આવ્યા હોવાથી પરિસ્થિતિ પર નજર રાખવા અને તેને નિયંત્રિત કરવા માટે બાંગ્લાદેશ હાઈ કમિશન પાસે ભારે સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

Whatsapp-channel Whatsapp-channel

25 December, 2025 09:32 PM IST | Dhaka | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK