Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > પાકિસ્તાનના પંજાબમાં બસ અને ટેન્કર વચ્ચે ટક્કર, 20 લોકો જીવતે જીવતા સળગી ગયા

પાકિસ્તાનના પંજાબમાં બસ અને ટેન્કર વચ્ચે ટક્કર, 20 લોકો જીવતે જીવતા સળગી ગયા

16 August, 2022 05:36 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં મંગળવારે એક ગોઝારો એકસ્માત થયો હતો. જેમાં 20 લોકોના મોત થયા છે. મળતી માહિતી પ્રમાણે લાહોરમાં આશરે 350 કિલોમીટર દૂર મુલ્તાનમાં એક મોટરવે પર એક યાત્રી બસ અને તેલ ટેન્કર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં મંગળવારે એક ગોઝારો એકસ્માત થયો હતો. જેમાં 20 લોકોના મોત થયા છે. મળતી માહિતી પ્રમાણે લાહોરમાં આશરે 350 કિલોમીટર દૂર મુલ્તાનમાં એક મોટરવે પર એક યાત્રી બસ અને તેલ ટેન્કર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. ટક્કર બાદ બસમાં આગ લાગી હતી, જેના કારણે બસમાં સવાર 20 યાત્રીઓના મોત થયા હતાં. નોંધનીય છે કે  પંજાબ પ્રાંતમાં છેલ્લા ત્રણ દિવસમાં આ બીજો મોટો અકસ્માત છે. 

અહેવાલો અનુસાર, અકસ્માતની માહિતી મળતાં જ ઈમરજન્સી સેવા `રેસ્ક્યૂ 1122` પહોંચી અને બચાવ કાર્ય શરૂ કર્યું. રેસ્ક્યુ 1122ના પ્રવક્તાએ માહિતી આપી કે બસ લાહોરથી કરાચી જઈ રહી હતી. ટક્કર બાદ બસમાં લાગેલી આગને કારણે મુસાફરો પણ આગની લપેટમાં આવી ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે ફાયર બ્રિગેડના જવાનોને આગ ઓલવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.



તેમણે કહ્યું કે અકસ્માતમાં દાઝી ગયેલા અન્ય લોકોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. તે જ સમયે, ગંભીર રીતે ઘાયલ 6 મુસાફરોને મુલ્તાનની નિશ્તાર હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. તેમની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. અહેવાલો અનુસાર, મૃતકોના મૃતદેહ એટલા બળી ગયા છે જેના કારણે પોલીસને તેમની ઓળખ કરવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ પોલીસ મૃતદેહોનો ડીએનએ ટેસ્ટ કરાવ્યા બાદ મૃતદેહો તેમના પરિવારજનોને સોંપવાની વાત કરી રહી છે.


તે જ સમયે પંજાબ પ્રાંતના સીએમ પરવેઝ ઈલાહીએ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે આરોગ્ય અધિકારીઓને અકસ્માતમાં ઘાયલોને યોગ્ય સારવાર આપવાનો નિર્દેશ આપ્યો છે. આ સાથે પોલીસને સૂચનાઓ આપતા તેમને મૃતકોની ઓળખ સુનિશ્ચિત કરવા માટે કહેવામાં આવ્યું છે.

નોંધનીય છે કે આ પહેલા શનિવારે પણ પંજાબ પ્રાંતમાં આવો જ ભયાનક અકસ્માત થયો હતો. શનિવારે ટ્રક-બસની ટક્કરમાં 13 લોકોના મોત થયા હતા. 


Whatsapp-channel Whatsapp-channel

16 August, 2022 05:36 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK