Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > "કોંગ્રેસ ખતમ થઈ ગઈ છે..." ગુજરાતમાં સીએમ કેજરીવાલે આપ્યું નિવેદન

"કોંગ્રેસ ખતમ થઈ ગઈ છે..." ગુજરાતમાં સીએમ કેજરીવાલે આપ્યું નિવેદન

Published : 13 September, 2022 04:03 PM | IST | Ahmedabad
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે બે મહિના બાકી છે, બીજેપી જઈ રહી છે, આમ આદમી પાર્ટી આવી રહી છે. અમે ગુજરાતની તમામ બેઠકો પર ચૂંટણી લડીશું.

અરવિંદ કેજરીવાલ

અરવિંદ કેજરીવાલ


ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. જેને લઈને AAP ગુજરાતમાં પોતાના પેગપેસારો મજબુત કરવામાં લાગી ગઈ છે. સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે બે મહિના બાકી છે, બીજેપી જઈ રહી છે, આમ આદમી પાર્ટી આવી રહી છે. અમે ગુજરાતની તમામ બેઠકો પર ચૂંટણી લડીશું. કોંગ્રેસના આરોપનો જવાબ આપતા અરવિંદ કેજરીવાલે આજે કહ્યું કે, "કોંગ્રેસ ખતમ થઈ ગઈ છે". જ્યારે એક પત્રકારે તેમને કોંગ્રેસના આરોપો વિશે પૂછ્યું તો તેમણે કહ્યું, "કોંગ્રેસ ખતમ થઈ ગઈ છે. તેમના પ્રશ્નો ઉઠાવવાનું બંધ કરો. 

સીએમ કેજરીવાલે વધુમાં કહ્યું કે હું છેલ્લા ઘણા મહિનાઓથી ગુજરાતમાં ફરું છું, જનતાને મળી રહ્યો છું. વકીલો, ઓટો ચાલકો, ખેડૂતો, વેપારીઓ, સહુએ કહ્યું કે, ગુજરાતમાં ઘણો ભ્રષ્ટાચાર છે. કોઈપણ સરકારી વિભાગમાં કામ મેળવવું હોય તો પૈસા આપવા પડે છે. નીચલા સ્તરે ભ્રષ્ટાચાર છે.  જો તમે તેમની સામે કંઈપણ બોલો તો તેઓ ડરાવવા અને ધમકાવવા સુધી પહોંચી જાય છે, વેપારીઓ ઉદ્યોગપતિઓને ધમકાવે છે અને કહે છે કે તમારો ધંધો બંધ કરાવી દઈશું. ચારેબાજુ ભ્રષ્ટાચાર અને ગુંડાગીરી છે. આજે અમે ગેરંટી આપીએ છીએ, જો ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો ભ્રષ્ટાચાર મુક્ત અને ભયમુક્ત શાસન આપવામાં આવશે.



તેમણે વધુમાં કહ્યું કે આપણા કોઈપણ મુખ્યમંત્રી, મંત્રી, ધારાસભ્ય કે કોઈપણ ધારાસભ્ય હોય, અમારો કોઈ પણ સાંસદ હોય કે અન્ય કોઈનો સાંસદ હોય, કોઈને ભ્રષ્ટાચાર કરવા નહીં દઈએ, ભ્રષ્ટાચાર કરશે તો જેલમાં મોકલીશું. ગુજરાતની જનતાના પૈસા ગુજરાતના વિકાસ પાછળ ખર્ચવામાં આવશે.


આ સાથે નેતાઓ, મંત્રીઓ, ધારાસભ્યોના તમામ કાળા કારોબાર બંધ થશે. ઝેરી દારૂ વેચાય છે, આટલો નશો ક્યાંથી આવે છે. આ પાર્ટીઓમાં તેમના માતા-પિતા બેઠા છે. આ બધું બંધ થઈ જશે.

સીએમ અરવિંદ કેજરીવાલે વધુમાં કહ્યું કે જો હું ગુજરાતની જનતાને મફત વીજળી આપવાની વાત કરી રહ્યો છું તો ભાજપ શા માટે તેનો વિરોધ કરી રહી છે? જો હું શાળા હોસ્પિટલ સુધારવાની વાત કરું છું તો ભાજપને શું વાંધો છે, શા માટે વિરોધ કરી રહ્યા છે. જેમ દિલ્હીના લોકોને મફત વીજળી મળી, જ્યારે પંજાબની જનતાને મળી, તેમ ગુજરાતની જનતાને પણ મળવી જોઈએ. ગુજરાતની શાળાઓ અને હોસ્પિટલો પણ સારી હોવી જોઈએ.


Whatsapp-channel Whatsapp-channel

13 September, 2022 04:03 PM IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK