Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > હાર્દિકના સ્થાને હવે લાલજી પટેલે મોરચો સંભાળ્યો

હાર્દિકના સ્થાને હવે લાલજી પટેલે મોરચો સંભાળ્યો

Published : 26 September, 2015 06:39 AM | IST |

હાર્દિકના સ્થાને હવે લાલજી પટેલે મોરચો સંભાળ્યો

 હાર્દિકના સ્થાને હવે લાલજી પટેલે મોરચો સંભાળ્યો




lalji patel




ગુજરાતમાં ચાલી રહેલા પાટીદાર અનામત આંદોલનનો મોરચો હવે સરદાર પટેલ ગ્રુપના અધ્યક્ષ લાલજી પટેલે સંભાળ્યો હોય એમ જણાય છે. ગુજરાત સરકારે જાહેર કરેલા પૅકેજનો વિરોધ કરીને પાટીદારોને અનામત આપવાની માગણી સાથે એક કરોડ ફૉર્મ ભરીને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મોકલવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

સરદાર પટેલ ગ્રુપના અધ્યક્ષ લાલજી પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગુજરાત સરકારના પૅકેજનો પાટીદાર સમાજ વિરોધ કરે છે અને આ પૅકેજથી સમાજને સંતોષ નથી. સરદાર પટેલ ગ્રુપ હવે પાટીદાર સમાજના ઘરે-ઘરેથી એક કરોડ માહિતી ફૉર્મ ભરાવશે. ગુજરાતમાં સરદાર પટેલ ગ્રુપ તથા અન્ય પાટીદાર સંગઠનો દ્વારા આ ફૉર્મ ભરાવીને ગુજરાતના તમામ જિલ્લા કલેક્ટરોને આ વિશેનું આવેદનપત્ર આપીને આ ફૉર્મ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મોકલવામાં આવશે અને તેમને જણાવવામાં આવશે કે પાટીદારો કઈ સ્થિતિમાં જીવે છે અને પાટીદાર સમાજને પણ અનામત આપો એવી માગણી કરવામાં આવશે.’

આ ઉપરાંત અધર બૅકવર્ડ ક્લાસ (OBC) પંચમાં પણ રજૂઆત કરવામાં આવશે. આ ફૉર્મ ભરાવવાની શરૂઆત મહેસાણાથી કરવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

26 September, 2015 06:39 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK