° °

આજનું ઇ-પેપર
Thursday, 23 March, 2023


ગુજરાત પર ફરી માવઠાનું સંકટ

14 March, 2023 10:54 AM IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

માર્કેટ યાર્ડ થયાં સતર્ક : ખેડૂતોને જણસ નહીં લાવવા કરી અપીલ : તળાજા અને જેસર પંથક ઉપરાંત સુરતના ઓલપાડ વિસ્તારમાં પડ્યો કમોસમી વરસાદ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

અમદાવાદઃ ગુજરાત પર ફરી એક વાર માવઠાનું સંકટ તોળાયું છે. આજથી ચાર દિવસ સુધી ગુજરાતમાં ઉનાળાની સીઝનમાં ચોમાસાનો માહોલ ઊભો થવાનો વર્તારો છે. આ ચાર દિવસ દરમ્યાન ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, સૌરાષ્ટ્ર–કચ્છ સહિત વીસેક જિલ્લામાં પવન ફૂંકાવા સાથે ગાજવીજ સાથે હળવોથી મધ્યમ કમોસમી વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે એટલું જ નહીં, ગઈ કાલે તળાજા અને જેસર પંથક ઉપરાંત સુરત જિલ્લાના ઓલપાડ વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો હતો.

ચાર દિવસ દરમ્યાન દક્ષિણ અને ઉત્તર ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છમાં માવઠું થવાની આગાહીથી ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે અને ગુજરાતનાં માર્કેટ યાર્ડ સતર્ક થઈ ગયાં છે એટલું જ નહીં, ખેડૂતોને જણસ નહીં લાવવા અપીલ કરી છે. ઉપલેટા, ગોંડલ, જૂનાગઢ માર્કેટ યાર્ડ વરસાદની સંભાવનાના પગલે હરાજી બંધ રહેશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ૩૦થી ૪૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. ૧૪, ૧૫, ૧૬ અને ૧૭ માર્ચ દરમ્યાન કમોસમી વરસાદ પડશે; જેમાં આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડશે.

14 March, 2023 10:54 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ગુજરાત સમાચાર

ચૈત્ર નવરાત્રિના આરંભે મંદિરોમાં માઈભક્તોનો સૈલાબ ઊમટ્યો

અંબાજી, બહુચરાજી, પાવાગઢ, ચોટીલા, અમદાવાદ સહિતનાં સ્થળોએ આવેલાં માતાજીનાં મંદિરોમાં દર્શન કરવા ભાવિકો ઊમટ્યા, ઘટસ્થાપન સાથે શક્તિની ભક્તિની ઉપાસના શરૂ કરી માઈભક્તોએ

23 March, 2023 10:46 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
ગુજરાત સમાચાર

ઉનાળામાં કમોસમી વરસાદે ધામા નાખ્યા ગુજરાતમાં : ઉનાળો છે કે પછી ચોમાસું?

સાંજે છ વાગ્યા સુધીમાં રાજકોટમાં સવા ઇંચ, અંજારમાં એક ઇંચ, નખત્રાણા અને જૂનાગઢમાં અડધા ઇંચ જેટલો કમોસમી વરસાદ પડ્યો : સૌરાષ્ટ્રના કેટલાક માર્કેટ યાર્ડમાં ખેતપેદાશ પલળી ગઈ , ખેડૂતોની ચિંતા વધી ગઈ

23 March, 2023 10:35 IST | Ahmedabad | Shailesh Nayak
ગુજરાત સમાચાર

પાવાગઢના મહાકાળી માના મંદિરમાં પહેલી વાર ભાવિકો કરશે પાદુકા પૂજન

આજથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ : અંબાજી, પાવાગઢ, બહુચરાજી સહિત માતાજીનાં મંદિરોમાં ભક્તિભાવ સાથે ઊજવાશે નવરાત્રિ મહોત્સવ

22 March, 2023 11:31 IST | Ahmedabad | Shailesh Nayak

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK