Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ચૂંટણીતંત્રએ મતદારોને લખી કંકોતરી

ચૂંટણીતંત્રએ મતદારોને લખી કંકોતરી

04 December, 2022 10:52 AM IST | Ahmedabad
Shailesh Nayak | shailesh.nayak@mid-day.com

લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે બનાસકાંઠા જિલ્લા ચૂંટણીતંત્રએ ચૂંટણી-કંકોતરીનો નવતર પ્રયોગ કર્યો, કંકોતરી દ્વારા મતદાનનું નિમંત્રણ પાઠવ્યું

બનાસકાંઠા જિલ્લા ચૂંટણીઅધિકારી અને કલેક્ટર આનંદ પટેલે ધાનેરામાં જઈને મતદારોને ચૂંટણી-કંકોતરીઓ આપીને મતદાનનું નિમંત્રણ પાઠવ્યું હતું.

Gujarat Election

બનાસકાંઠા જિલ્લા ચૂંટણીઅધિકારી અને કલેક્ટર આનંદ પટેલે ધાનેરામાં જઈને મતદારોને ચૂંટણી-કંકોતરીઓ આપીને મતદાનનું નિમંત્રણ પાઠવ્યું હતું.



અમદાવાદ : અત્યારે ગુજરાતમાં એક તરફ લગ્નગાળો ચાલી રહ્યો છે તો બીજી તરફ ચૂંટણીની મોસમ પુરબહારમાં ખીલી છે ત્યારે આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદાન વધુ થાય એ માટે બનાસકાંઠા જિલ્લા ચૂંટણીતંત્રએ ચૂંટણી-કંકોતરીનો નવતર પ્રયોગ કરીને સૌને અચરજમાં મૂકવા સાથે અચૂક મતદાન કરવાનો મેસેજ આપ્યો છે.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન ૫ ડિસેમ્બરે યોજાવાનું છે ત્યારે ગત વિધાનસભાની ચૂંટણીમાં બનાસકાંઠા જિલ્લામાં જ્યાં ઓછું મતદાન થયું હોય એવાં મતદાનમથકો પર વધુ મતદાન થાય એ માટે બનાસકાંઠા જિલ્લા ચૂંટણીઅધિકારી અને કલેક્ટર આનંદ પટેલે તાજેતરમાં ધાનેરામાં જઈને મતદારોને ચૂંટણી-કંકોતરીઓ આપીને મતદાનનું નિમંત્રણ પાઠવ્યું હતું અને મતદાન કરવાનો સંદેશો આપ્યો હતો. ધાનેરા બેઠક ઉપરાંત દાંતા બેઠકમાં ગઈ વખતે ધનપુર વિરમપુરમાં ઓછું મતદાન થયું હતું ત્યાં પણ મતદાર-જાગૃતિ કાર્યક્રમ યોજીને ગ્રામજનોને ચૂંટણી-કંકોતરી આપીને મતદાન કરવા જવા અપીલ કરી હતી. આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લામાં જ્યાં ગઈ વખતે વિધાનસભાની ચૂંટણીમાં ઓછું મતદાન થયું હતું એ જગ્યાઓએ નોડલ ઑફિસર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સહિતના અધિકારીઓ અને સ્ટાફે પહોંચી જઈને વધુ ને વધુ મતદાન થાય એ માટે ચૂંટણી-કંકોતરી આપીને સૌને મતદાન કરવા પ્રોત્સાહિત કર્યા હતા.



બનાસકાંઠા જિલ્લામાં મતદાન વધુ થાય એ માટે ગ્રામીણ વિસ્તારોમાં જઈને ચૂંટણી-કંકોતરી આપીને ગ્રામજનોને મતદાન કરવા અપીલ કરી હતી.


લગ્નની કંકોતરીની જેમ ચૂંટણી-કંકોતરીમાં અવસરનું આંગણું, અવસરની તારીખ, સમય લખવામાં આવ્યો છે તેમ જ ટહુકો પણ લખાયો છે. આ ટહુકોમાં લખ્યું છે કે ‘સૌ મારા બનાસના જાગ્રત મતદારો, અવસર છે લોકશાહીનો, માહોલ છે ચૂંટણીનો, મારો-તમારો સૌના અધિકારનો, મત આપવા જરૂર-જરૂરથી પધારજો...ભૂલતા નહીં હો...કે...છેલ્લે લખ્યું છે કે તમારું આગમન એ જ લોકશાહીનો ધબકાર.’ 


Whatsapp-channel Whatsapp-channel

04 December, 2022 10:52 AM IST | Ahmedabad | Shailesh Nayak

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK