Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > લોકડાયરાના વટવૃક્ષ એવા જિતુદાન ગઢવીનું અવસાન

લોકડાયરાના વટવૃક્ષ એવા જિતુદાન ગઢવીનું અવસાન

Published : 06 February, 2022 02:10 PM | IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

‘ચારણી સાહિત્યના તેમને ખંડના ખંડ કંઠસ્થ રહેતા અને એટલે જ તેમની વાણી અસ્ખલિત કલા પીરસતી રહેતી.’

લોકડાયરાના વટવૃક્ષ એવા જિતુદાન ગઢવીનું અવસાન

લોકડાયરાના વટવૃક્ષ એવા જિતુદાન ગઢવીનું અવસાન


માત્ર લોકકલાને સાચવવાનું જ નહીં પણ લોકકલાકારોનું જતન અને ઘડતર કરવાનું કામ કરનારા લોકલાડિલા જિતુદાન ગઢવીનું ગઈ કાલે અવસાન થયું હતું. જિતુદાનભાઈને સાંભળવા માટે મોરારિબાપુથી લઈને સ્વામી સચ્ચિદાનંદ પણ બેસી જતાં તો નવી પેઢીના લોકકલાકારો પણ તેમને સાંભળવા માટે તલપાપડ રહેતા. જાણીતા લોકસાહિત્યકાર સાંઈરામ દવેએ કહ્યું હતું, ‘જિતુભાઈને જેટલીવાર તમે સાંભળો એટલીવાર તમને નીતનવું શીખવા મળે. તેમને સાંભળવા એ મારે મન તો એક લહાવાથી સહેજ પણ ઓછી વાત નથી. તેમની હાજરી માત્ર લોકસાહિત્ય માટે વડલા સમાન હતી. હું કહીશ કે ગઢવીના જવાથી લોકસાહિત્યએ આજે એ વડલો ગુમાવ્યો છે.’
રાજકારણમાં જોડાતાં પહેલાં નરેન્દ્રભાઈ મોદી જિતુદાન ગઢવીને સાંભળવા માટે જૂનાગઢથી છેક ગીર સુધી ગયા હતા. પદ્મશ્રી ભીખુદાન ગઢવીએ કહ્યું હતું, ‘ચારણી સાહિત્યના તેમને ખંડના ખંડ કંઠસ્થ રહેતા અને એટલે જ તેમની વાણી અસ્ખલિત કલા પીરસતી રહેતી.’
પોતાના યુવાનીકાળમાં જિતુદાન ગઢવીએ ચોટીલામાં કરેલો એક કાર્યક્રમ ૧૪ કલાક ચાલ્યો હતો, જે આજે પણ લોકસાહિત્યમાં અનબ્રેકેબલ રેકૉર્ડ છે.


Whatsapp-channel Whatsapp-channel

06 February, 2022 02:10 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK