માલ્યાને ભારત લાવવા માટે શું કર્યું? : સુપ્રીમ કોર્ટ
માલ્યાને ભારત લાવવા માટે શું કર્યું? : સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું છે કે બ્રિટનમાં ભાગેડુ બિઝનેસમેન વિજય માલ્યાના ભારતમાં પ્રત્યાર્પણ અંગેની કાર્યવાહી સંબંધિત વર્તમાન સ્થિતિ અંગે છ અઠવાડિયાની અંદર રિપોર્ટ રજૂ કરો. ન્યાયાધીશ યુ. યુ. લલિતની અધ્યક્ષતાવાળી સુપ્રીમ કોર્ટની ખંડપીઠે કહ્યું કે ભાગેડુ બિઝનેસમેન વિજય માલ્યાના પ્રત્યાર્પણ બાદની સુનાવણી યુકેમાં તેની વિરુદ્ધ ‘ગુપ્ત કાર્યવાહી’ને કારણે થઈ રહી નહોતી. ૩૧ ઑગસ્ટના રોજ પુનર્વિચાર અરજી રદ થયા બાદ અને સજાની પુષ્ટિ થયા બાદ માલ્યા પોતાની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટના અવમાન મામલામાં સુપ્રીમ કોર્ટમાં રજૂ થવાના હતા.