Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > અમદાવાદમાં અમિત શાહના પ્રચાર માટે યોગી આદિત્યનાથની જાહેરસભા

અમદાવાદમાં અમિત શાહના પ્રચાર માટે યોગી આદિત્યનાથની જાહેરસભા

26 March, 2019 09:50 AM IST |

અમદાવાદમાં અમિત શાહના પ્રચાર માટે યોગી આદિત્યનાથની જાહેરસભા

યોગી આદિત્યનાથ આજે અમદાવાદમાં

યોગી આદિત્યનાથ આજે અમદાવાદમાં


લોકસભાની ચૂંટણીમાં આ વખતે ગુજરાતની 26 બેઠકો જાળવી રાખવા માટે BJP કોઈ કસર બાકી રાખવા માગતું નથી. એમાં પણ રાષ્ટ્રીય અધ્યક્ષ જે બેઠક પરથી ચૂંટણીમાં ઉમેદવારી કરવાના છે એ બેઠક પર દેશના ટોચના નેતાઓ પ્રચાર કરવા આવશે જેના ભાગરૂપે આજે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અમિત શાહ માટે પ્રચાર કરવા આવી રહ્યા છે. યોગી આદિત્યનાથ આ વખતે લોકસભાની ચૂંટણીમાં પહેલી વાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અને અમદાવાદમાં સભા ગજવશે.

 



આ પણ વાંચો: જામનગર બેઠકમાં રિવાબાની ટિકિટને લઈને વિવાદ


 

BJPના ગઢ સમાન ગાંધીનગર લોકસભાની અંડરમાં આવતી ઘાટલોડિયા વિધાનસભા મતવિસ્તારમાં ઘાટલોડિયા વિસ્તારના પ્રભાત ચોકમાં આજે સાંજે જાહેરસભા યોજાશે જેમાં યોગી આદિત્યનાથ અમિત શાહને મત આપવા મતદારોને અપીલ કરશે.


Whatsapp-channel Whatsapp-channel

26 March, 2019 09:50 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK