Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > અમદાવાદ : મોદીના આગમન પહેલા સોમવારે 2 મેટ્રો ટનલ થઇ જશે તૈયાર

અમદાવાદ : મોદીના આગમન પહેલા સોમવારે 2 મેટ્રો ટનલ થઇ જશે તૈયાર

Published : 24 February, 2019 05:23 PM | Modified : 24 February, 2019 08:15 PM | IST | અમદાવાદ

અમદાવાદ : મોદીના આગમન પહેલા સોમવારે 2 મેટ્રો ટનલ થઇ જશે તૈયાર

અમદાવાદ મેટ્રો (ફાઇલ ફોટો)

અમદાવાદ મેટ્રો (ફાઇલ ફોટો)


સોમવાર સુધીમાં અપારેલ પાર્કથી કાલુપુરને જોડતી મેટ્રો ટનલ તૈયાર થઈ જશે. ઉલ્લેખનીય છે કે આગામી 4 માર્ચે વડાપ્રધાન મોદી વસ્ત્રાલ ગામથી અપાલરેલ પાર્ક સુધીનો 6.5 કિલોમીટરના સૌપ્રથમ મેટ્રો સ્ટ્રેચનું ઉદ્ઘાટન કરવાના છે.

બે ટનલ બોરિંગ મશીન્સ (TBMs) માર્ચ 2017માં ભૂગર્ભમાં ઉતારવામાં આવ્યા હતા. આ બે મશીન સોમવારે 1.72 કિલોમીટર લાંબી ટનલ્સનુંકામ પૂરું કરશે. આ બંને ટનલ અપારેલ પાર્કથી કાલુપુર વચ્ચેના રેલવે ટ્રેક પર ઉપરની અને નીચેની ટ્રેન માટે બનાવવામાં આવી છે.



આ પણ વાંચો: ગુજરાત : હવામાન ખાતાએ કરી આગાહી, હજુ ઠંડી પડી શકે છે


અધિકારીઓએ જણાવ્યું છે કે, કાલુપુર રેલવે સ્ટેશનથી સરસપુર તરફ 2 અન્ય મશીનો દ્વારા કામ શરૂ કરવામાં આવ્યું છે. અમદાવાદમાં મેટ્રો ટનલની કુલ લંબાઈ 6 કિલોમીટર છે અને તેમાં 4 સ્ટેશનનો સમાવેશ થાય છે. અધિકારીઓએ જણાવ્યું કે બે TBMs વચ્ચે સામાન્ય રીતે ઓછામાં ઓછું 100 મીટરનું અંતર રાખવામાં આવે છે, પરંતુ આ પ્રોજેક્ટ એ રીતે ખૂબ અસામાન્ય છે કે બંને મશીન એકસાથે જ કામ પૂરું કરશે.

અધિકારીઓ કહે છે કે ટનલનું 60% કામ પૂરું થઈ ચૂક્યું છે અને બાકીનું કામ એપ્રિલ સુધીમાં પૂરું કરી દેવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

24 February, 2019 08:15 PM IST | અમદાવાદ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK