ભવિષ્યમાં મહારાષ્ટ્રમાં કોઈની સાથે ગઠબંધન નહીં થાયઃ જે. પી. નડ્ડા
જે. પી. નડ્ડા
મહારાષ્ટ્રમાં ફરી એકવાર રાજકીય નિવેદન તીવ્ર બન્યા છે. જે રીતે બીજેપીના નેતાઓ સતત નિવેદનો આપી રહ્યા છે કે રાજ્યમાં શિવસેના-કૉન્ગ્રેસ અને એનસીપી સરકારો લાંબા સમય સુધી ચાલશે નહીં, તે ત્રણ પૈડાંવાળી ઑટોરિક્ષા છે અને બીજેપી તેની સામે ઑપરેશન કમળ શરૂ કરશે, તે પછી બીજેપી અધ્યક્ષ જે. પી. નડ્ડાએ મોટું નિવેદન આપ્યું છે. જે. પી. નડ્ડાએ સ્પષ્ટ કર્યું છે કે ભવિષ્યમાં રાજ્યમાં કોઈની સાથે ગઠબંધન નહીં થાય.
નડ્ડાએ કહ્યું કે હું તમને ખાતરી આપવા માગું છું કે ભવિષ્યમાં અમારે કોઈની સાથે ગઠબંધન રાખવાની જરૂર નથી. આગામી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ તમામ પક્ષો હશે. હું જોઈ શકું છું કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં બીજેપી ક્લીન સ્વીપ કરશે.
ADVERTISEMENT
જણાવી દઈએ કે ઑપરેશન કમળ વિશે જે રીતે નિવેદન ચાલી રહ્યું હતું તે પછી મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે જો બીજેપીની અંદર હિંમત છે તો રાજ્ય સરકારને પાડીને બતાવે.