Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ભવિષ્યમાં મહારાષ્ટ્રમાં કોઈની સાથે ગઠબંધન નહીં થાયઃ જે. પી. નડ્ડા

ભવિષ્યમાં મહારાષ્ટ્રમાં કોઈની સાથે ગઠબંધન નહીં થાયઃ જે. પી. નડ્ડા

17 February, 2020 08:00 AM IST | Mumbai

ભવિષ્યમાં મહારાષ્ટ્રમાં કોઈની સાથે ગઠબંધન નહીં થાયઃ જે. પી. નડ્ડા

જે. પી. નડ્ડા

જે. પી. નડ્ડા


મહારાષ્ટ્રમાં ફરી એકવાર રાજકીય નિવેદન તીવ્ર બન્યા છે. જે રીતે બીજેપીના નેતાઓ સતત નિવેદનો આપી રહ્યા છે કે રાજ્યમાં શિવસેના-કૉન્ગ્રેસ અને એનસીપી સરકારો લાંબા સમય સુધી ચાલશે નહીં, તે ત્રણ પૈડાંવાળી ઑટોરિક્ષા છે અને બીજેપી તેની સામે ઑપરેશન કમળ શરૂ કરશે, તે પછી બીજેપી અધ્યક્ષ જે. પી. નડ્ડાએ મોટું નિવેદન આપ્યું છે. જે. પી. નડ્ડાએ સ્પષ્ટ કર્યું છે કે ભવિષ્યમાં રાજ્યમાં કોઈની સાથે ગઠબંધન નહીં થાય.

નડ્ડાએ કહ્યું કે હું તમને ખાતરી આપવા માગું છું કે ભવિષ્યમાં અમારે કોઈની સાથે ગઠબંધન રાખવાની જરૂર નથી. આગામી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ તમામ પક્ષો હશે. હું જોઈ શકું છું કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં બીજેપી ક્લીન સ્વીપ કરશે.



જણાવી દઈએ કે ઑપરેશન કમળ વિશે જે રીતે નિવેદન ચાલી રહ્યું હતું તે પછી મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે જો બીજેપીની અંદર હિંમત છે તો રાજ્ય સરકારને પાડીને બતાવે.


Whatsapp-channel Whatsapp-channel

17 February, 2020 08:00 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK