Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ખરું કારણ (લાઇફ કા ફન્ડા)

ખરું કારણ (લાઇફ કા ફન્ડા)

28 January, 2021 03:54 PM IST | Mumbai
Heta Bhushan | feedbackgmd@mid-day.com

ખરું કારણ (લાઇફ કા ફન્ડા)

GMD લોગો

GMD લોગો


એક હાથ અને પગ ગુમાવી ચૂકેલ દિવ્યાંગ ભિખારી ભીખ માગી પોતાનું ગુજરાન ચલાવતો. તે ભિખારી એક નાનકડી ગલીના એક એવા ખૂણામાં બેસીને ભીખ માગતો હતો કે જ્યાં લોકોની આવનજાવન ખૂબ જ ઓછી હતી. ત્યાં કોઈને કામ હોય તો કોઈ આવે તે માણસ અને કોઈ ટૂંકો રસ્તો લે તો આ નિર્જન ગલીમાં આવે, બાકી બહુ કોઈ અવરજવર ન હતી.
એક દિવસ બપોરે બે મિત્રો ત્યાંથી પસાર થયા. ભિખારીએ તેમને જોઈને હાથ લાંબો કરી ભીખ માગી. પેલા બે મિત્રો વાતોમાં હતા એટલે ધ્યાન ન ગયું; ભિખારીએ બૂમ પાડી ભીખ માગી. એક મિત્રનું ધ્યાન ગયું, તેણે તેની પાસે જઈને બે રૂપિયા આપતાં પૂછ્યું, ‘ બાબા, અહીં તો બહુ કોઈ લોકો પસાર થતાં નથી તો અહીં કેમ ભીખ માગો છો. જાવ કોઈ મંદિર કે ચોકના સિગ્નલ પાસે વધુ પૈસા મળશે.’
ભિખારીએ કહ્યું, ‘મને ખબર છે કે અહીં રડ્યાખડ્યા જ લોકો આવે છે અને જેટલા આવે છે તે કોઈ બધા કંઈ આપતાં નથી, પણ મારું અહીં બેસવાનું ખરું કારણ કોઈ બીજું છે.’ બે મિત્રો ડર્યા કે આ દિવ્યાંગ ભિખારી અહીં લગભગ સૂમસામ વિસ્તારમાં એવા તે કયા કારણથી બેસતો હશે. કોઈ ગિરોહ સાથે જોડાયેલો હશે કે પછી કોઈ પોલીસનો ખબરી હશે કે બીજું કંઈ.
ભિખારી તો પોતાની વાત કહી રહ્યો હતો, ‘થોડાં વર્ષ પહેલાં મજૂરી કરતો હતો. હાથગાડી ખેંચીને લઈ જતો હતો તેમાં ટ્રક સાથે અકસ્માત થયો અને એક હાથ અને બે પગ ગુમાવી દીધા. જીવતો રહ્યો પણ સાવ નકામો બની ગયો. કોઈ સહારો હતો નહીં એટલે ભીખ માગવા સિવાય કોઈ રસ્તો ન રહ્યો. એટલે અહીં બેસીને ભીખ માગું છું... અને આ જગ્યા એટલે પસંદ કરી કે અહીં ગલીમાં છેલ્લા મકાનમાં અંધજનોની શાળા અને વર્કશૉપ છે, ઘણા અંધજનો રોજ અહીંથી પસાર થાય છે. આ ગલીમાં કોઈ આવનજાવન ન હોવાથી અહીંના રસ્તા ખરાબ-ખાડાટેકરાવાળા છે છતાં તેની મરમ્મત કરવામાં આવતી નથી એટલે આમ તો મારું શરીર કોઈ કામનું નથી, પણ મોઢેથી બોલી શકું છું અને આંખથી જોઈ શકું છું એટલે અહીંથી પસાર થતા અંધજનોને ખાડાથી બચીને ચાલવામાં બોલીને ચેતવું છું અને મારાથી બનતી તકેદારી લઉં છું કે કોઈ અંધજન ખાડામાં પડે નહી.’ બે મિત્રો ભિખારીનું આ સ્થાન પર બેસવાનું ખરું કારણ સાંભળી આશ્ચર્યમાં પડી ગયા.
આજના સમાજમાં એક દેખતો માણસ બીજાને આંખમાં ધૂળ નાખી તેને ખાડામાં પાડી નાખવાની પેરવીમાં હોય છે, ત્યારે આ દિવ્યાંગ ભિખારીની ભાવના કાબિલે દાદ છે.


Whatsapp-channel Whatsapp-channel

28 January, 2021 03:54 PM IST | Mumbai | Heta Bhushan

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK