Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > જવાનોને ખોરાકમાં ઝેર આપીને મારી નાખવાનું પાકિસ્તાનનું મોટું ષડ્‍યંત્ર

જવાનોને ખોરાકમાં ઝેર આપીને મારી નાખવાનું પાકિસ્તાનનું મોટું ષડ્‍યંત્ર

08 January, 2020 12:42 PM IST | New Delhi

જવાનોને ખોરાકમાં ઝેર આપીને મારી નાખવાનું પાકિસ્તાનનું મોટું ષડ્‍યંત્ર

ભારતી સેના

ભારતી સેના


જમ્મુ-કાશ્મીરમાં ફરજ બજાવી રહેલા સિક્યૉરિટી દળોનાં પીવાનાં પાણીમાં ઝેર ભેળવવાનું ષડયંત્ર ઘડાઈ રહ્યાની બાતમી મળી હતી.

કેન્દ્રીય ગુપ્તચર દળ અને લશ્કરી ઇન્ટેલિજન્સને મળેલી બાતમી મુજબ જમ્મુ -કાશ્મીરમાં આતંકવાદીઓ સિક્યૉરિટી દળોનાં પીવાનાં પાણીમાં ઝેર ભેળવવાનું ષડયંત્ર રચી રહ્યા હતા. ગયા વર્ષના ઑગસ્ટની પાંચમીએ કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરને ખાસ દરજ્જો આપતી ૩૭૦મી કલમ રદ કરી ત્યારથી આતંકવાદી ઊંચાનીચા થઈ રહ્યા હતા.



જમ્મુ-કાશ્મીરમાં નવેસરથી અશાંતિ સર્જવા આતંકવાદીઓ રઘવાયા થયા હોવાની અને સિક્યૉરિટી દળોનાં પીવાનાં પાણીમાં ઝેર ભેળવવાની કોશિશ કરવાના હોવાની બાતમી મળતાં ગુપ્તચર વિભાગે લશ્કરના સંબંધિત અધિકારીઓને વાકેફ કર્યા હતા. કેટલાંક સ્થળોએ ફ્રી કાશ્મીર જેવાં વિવાદાસ્પદ પોસ્ટર્સ પણ જોવા મળ્યા હતા.


આ પણ વાંચો : નવા ટ્રાફિક કાયદામાં ફેરફાર કરશો તો રાષ્ટ્રપતિશાસન લાદીશું

રવિવારે પાટનગર નવી દિલ્હીમાં જેએનયુમાં થયેલી હિંસા પછી દેશભરમાં ઠેકઠેકાણે દેખાવો થયા હતા. મુંબઈમાં ગેટવે ઑફ ઇન્ડિયા પાસે થયેલા દેખાવોમાં પણ આવાં પોસ્ટર્સ દેખાતાં સિક્યૉરિટી વિભાગ સતર્ક થઈ ગયો હતો.


Whatsapp-channel Whatsapp-channel

08 January, 2020 12:42 PM IST | New Delhi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK