સિયાચીન સરહદે હિમ-સ્ખલન થતાં છ ભારતીય સૈનિકોનાં મોત
સૈન્યનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગઈ કાલે સવારે સાત વાગ્યે સૈનિકો એક પોસ્ટ પરથી બીજી પોસ્ટ તરફ જઈ રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. ગુમ થયેલા સૈનિકને શોધવા માટે મોટા પાયે ઑપરેશન હાથ ધરવામાં આવ્યું છે. માર્યા ગયેલા જવાનો પહેલી આસામ રેજિમેન્ટના હતા.
આમખ્નાં સૂત્રોએ એમ પણ કહ્યું હતું કે છેલ્લાં ઘણાં વર્ષોમાં સિયાચીનમાં ભારતીય પોસ્ટના વિસ્તારમાં હિમ-સ્ખલનની ઘટના નોંધાઈ છે. આસામ રેજિમેન્ટના જવાનો ૧૦૨ સિયાચીન બ્રિગેડના ભાગરૂપ ૧૬,૦૦૦ ફૂટની ઊંચાઈએ ફરજ બજાવી રહ્યા હતા. સિયાચીન ગ્લૅશિયરના પાકિસ્તાન તરફના વિસ્તારમાં હિમ-સ્ખલનની ઘણી ઘટનાઓ નોંધાઈ છે. ભારતીય સૈન્યના જવાનો છેલ્લાં ૩૦ વર્ષથી સિયાચીન ગ્લૅશિયર પર તહેનાત છે. સૈન્યના જણાવ્યા પ્રમાણે દુશ્મન સાથેની લડાઈ કરતાં ખરાબ હવામાનને કારણે અહીં વધારે સૈનિકોનાં મોત થયાં છે.