નેત્રદાન માટે ૨૫૫ ને રક્તદાન માટે ૧૧૫ જણ આગળ આવ્યા
સરોજ પટેલને જોગેશ્વરીના ઉષાકુંજ બિલ્ડિંગના એક સમયના પાડોશીઓએ આઇ અને બ્લડ ડોનેશન કૅમ્પનું સફળ આયોજન શ્રી ઉષાકુંજ નવરાત્રિ મંડળના નેજા હેઠળ કર્યું હતું. આ વિશે વધુ માહિતી આપતાં શ્રી ઉષાકુંજ નવરાત્રિ મંડળનાં કાર્યકર્તા સ્નેહલ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આજે પહેલા દિવસે લોકોનું જે પ્રોત્સાહન અમને મળ્યું એને લીધે અમે દશેરા સુધી નેત્રદાન અભિયાન ચલાવવાનું નક્કી કર્યું છે. આજે એક દિવસના બ્લડ-ડોનેશનમાં ૧૧૫ લોકો જ બ્લડ ડોનેટ કરી શક્યા, ખરેખર તો વધુ લોકો કરવા ઇચ્છતા હતા, પણ હીમોગ્લોબિન ઓછું હોવાથી અને બ્લડપ્રેશરના પ્રૉબ્લેમને કારણે કરી શક્યા નહીં. ૨૫૫ લોકોએ પોતાની આઇ ડોનેટ કરવાનું નક્કી કર્યું છે અને દશેરા સુધી એની સંખ્યા ૩૫૦થી વધુ થવાની અમને આશા છે.’
ADVERTISEMENT
શ્રી ઉષાકુંજ નવરાત્રિ મંડળ ગયા વર્ષે સિનિયર સિટિઝનોને શર્ડિી સાંઈબાબાનાં દર્શને લઈ ગયું હતું અને આ વર્ષે દિવાળી પછી અંબાજીનાં દર્શન માટે લઈ જવાનું છે.