રૂપાણી કેબિનેટની મળી બેઠક, થઈ શકે મહત્વની જાહેરાત
વાઈબ્રન્ટ ગુજરાત સમિટ
મોદી સરકારે સવર્ણોને 10 ટકા અનામતની જાહેરાત કર્યા બાદ આજે રૂપાણી કેબિનેટની બેઠક મળી છે. જેમાં સવર્ણોને અનામત અને આગામી વાઈબ્રન્ટ સમિટ મુદ્દાની ચર્ચા થઈ. બેઠક બાદ મહત્વની જાહેરાત પણ થઈ શકે છે. આગામી સપ્તાહે અત્યંત મહત્વની વાઇબ્રન્ટ ગુજરાત સમિટ મહાત્મા મંદિર ગાંધીનગરમાં યોજાવાની છે જેમાં દેશ-વિદેશના અનેક નેતાઓ, ઉદ્યોગ ગૃહો ભાગ લેશે તેની તૈયારી ક્યાં સુધી પહોંચી તેના પર ચર્ચા કરવામાં આવી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગામી ગુજરાત મુલાકાત સંદર્ભે તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવશે. વડાપ્રધાન વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું ઉદ્ઘાટન કરવાના છે તેઓ અમદાવાદમાં વીએસ હોસ્પિટલના નવનિર્મિત ભવનનું પણ ઉદ્ઘાટન કરવાના છે. આ ભવનનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે પણ કેટલાક ફ્લોર પર ફર્નિચરનું કામ હજી બાકી છે જે ઝડપથી પૂરું કરવું પડશે, તે અંગે કામકાજ ચાલુ છે. લોકસભા ચૂંટણી માટેની નિતી ઘડવા પર મંત્રીમંડળ સાથે ચર્ચા થવાની પૂર્ણ સંભાવના છે તો તેની સાથે જ અન્ય કેટલાય મુદ્દાઓ બાબતે કેબિનેટમાં ચર્ચા થઈ.
ADVERTISEMENT
આ પણ વાંચો : સવર્ણ અનામતઃલોકસભામાં સંશોધિત બિલ પસાર, આજે રાજ્યસભામાં થશે રજૂ
તાજેતરમાં જ ઉત્તર પ્રદેશના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર ગુજરાતની મુલાકાતે આવ્યા હતા અને તેમણે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને મળીને કુંભમેળામાં પધારવાનું આમંત્રણ પણ આપ્યું હતું. તેની સાથે જ અમદાવાદથી કુંભના દર્શને જવા ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ થવાની છે આ સુવિધા પણ અમદાવાદના ગુજરાતીઓ માટે લાભકારક નીવડશે.