મલાડમાં વેસ્ટની બહારના રસ્તાને અધ્ધર લઈ જવાશે
ગ્રાફિકઃ રવિ જાધવ
મુસાફરોની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખી ટૂંક સમયમાં બોરીવલીથી સીએસએમટી ડાયરેક્ટ ટ્રેન દોડાવવામાં આવશે. હાલ બોરીવલીથી મલાડ વચ્ચે રહેતા લોકોને CSMT જવા માટે ગોરેગામથી ટ્રેન બદલવાનો વારો આવે છે. આ પ્રોજેક્ટને કારણે લાખો મુસાફરોના સમયની બચત થશે. બોરીવલીથી CSMT અને ઘ્લ્પ્વ્થી ડાયરેક્ટ બોરીવલી રિટર્ન ટ્રેન ચાલશે. મુંબઈ અર્બન ટ્રાન્સર્પોટ પ્રોજેક્ટ 3એ અંતર્ગત ૮૨૬ કરોડ રૂપિયાના ખર્ચે ટ્રૅક નાખવામાં આવશે.
થોડા સમય પહેલાં આ પ્રોજેક્ટને રાજ્ય સરકારે મંજૂરી આપી છે. હવે ગોરેગામથી બોરીવલી વચ્ચે હાર્બર લાઇન લંબાવવાનું કામ ચાલુ કરવામાં આવશે. જોકે ગોરેગામથી બોરીવલી વચ્ચે ટ્રૅક વધારવા માટે મલાડ સ્ટેશન પર જગ્યા ઓછી પડી રહી છે એટલે રેલવે ઑથોરિટી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે મલાડ સ્ટેશનની બહારના રસ્તાને એલિવેટેડ બનાવી દેવામાં આવે જેથી એની નીચે વધારાના બે ટ્રૅક નાખી શકાય.
ADVERTISEMENT
પ્રોજેક્ટમાં કામ કરી રહેલા એક સિનિયર કર્મચારીએ જણાવ્યું હતું કે ‘રેલવે-ઑથોરિટી દ્વારા બોરીવલીથી ગોરેગામ વચ્ચેના લોકેશન પર ફ્લાયઓવર બનાવવાની વિચારણા ચાલી રહી છે, પણ મલાડ (વેસ્ટ)માં જગ્યાની અડચણ આવી રહી છે. હાર્બર લાઇન લંબાવવા કાંદિવલીમાં કોઈ સમસ્યા નથી. બોરીવલીથી સીએસએમટીની ટ્રેન માટે બોરીવલી સ્ટેશન પર પ્લૅટફૉર્મ-નંબર એક અને બેનો ઉપયોગ કરવામાં આવશે. જો હાર્બર લાઇન લંબાવવામાં આવશે તો બોરીવલી સ્ટેશન સુધી કુલ ૬ લાઇન રહેશે.’