Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને રાજ્યપાલ કલ્યાણ સિંહને કોર્ટનું સમન્સ

ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને રાજ્યપાલ કલ્યાણ સિંહને કોર્ટનું સમન્સ

23 September, 2019 03:40 PM IST | નવી દિલ્હી

ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને રાજ્યપાલ કલ્યાણ સિંહને કોર્ટનું સમન્સ

કલ્યાણ સિંહ

કલ્યાણ સિંહ


અયોધ્યાના બાબરી મસ્જિદ વિધ્વંસ કેસમાં કોર્ટે ૯ સપ્ટેમ્બરે સીબીઆઇની વિશેષ કોર્ટે કલ્યાણ સિંહને ૨૭ સપ્ટેમ્બરે આરોપી તરીકે હાજર રહેવા સમન્સ ઇશ્યુ કર્યું છે. વિશેષ જજ સુરેન્દ્રકુમાર યાદવે બારના સભ્યોને આ અંગે આદેશ આપ્યા છે. કલ્યાણસિંહ ઉત્તર પ્રદેશનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન તેમ જ રાજસ્થાનના ભૂતપૂર્વ રાજ્યપાલ રહી ચૂક્યા છે.

બારના સભ્યોનું કહેવું હતું કે કલ્યાણ સિંહ હવે રાજ્યપાલ પદથી સેવાનિવૃત્ત થઈ ગયા છે. ૯ સપ્ટેમ્બરના રોજ સીબીઆઇની વિશેષ કોર્ટે આ બાબતમાં કલ્યાણ સિંહને હાજર કરવાની માગ કરી હતી. કોર્ટે કહ્યું હતું કે, કલ્યાણ સિંહ હવે બંધારણીય હોદ્દા પર નથી. જેથી તેમને સમન્સ ઇશ્યુ કરાયું છે. ૩૦ મે ૨૦૧૭ના રોજ આ મામલે સીબીઆઇની વિશેષ કોર્ટે લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, વિનય કટિયાર તથા વિષ્ણુ હરી દાલમિયા પર કલમ ૧૨૦ અંતર્ગત આરોપ લગાવ્યો હતો. સીબીઆઇની તપાસ બાદ આ મામલે કુલ ૪૯ આરોપીઓ વિરુદ્ધ આરોપ પત્ર દાખલ કરાયું હતું.



આ પણ વાંચો : 22 હજારનો દંડ માત્ર 400 રૂપિયા ભરીને પતાવો, ખુદ પોલીસવાળાએ આપી ટિપ્સ


જેમાંથી ૧૬ આરોપીઓનાં મૃત્યુ થઈ ગયા છે. આ કેસમાં ૩૨ આરોપીઓ વિરુદ્ધ સુનાવણી થઈ રહી છે. ૨૦૧૭માં હાઈ કોર્ટે આ કેસની સુનાવણી ૨ વર્ષમાં પૂર્ણ કરવાના આદેશ આપ્યા હતા. ૬ ડિસેમ્બર ૧૯૯૨ના રોજ બાબરી મસ્જિદ વિધ્વંસ થતાં ૪૯ ફરિયાદ દાખલ કરાઈ હતી.


Whatsapp-channel Whatsapp-channel

23 September, 2019 03:40 PM IST | નવી દિલ્હી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK