Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈઃ વેપારીઓ આજે રાખશે રાષ્ટ્રીય બંધ સ્વૈચ્છિક

મુંબઈઃ વેપારીઓ આજે રાખશે રાષ્ટ્રીય બંધ સ્વૈચ્છિક

18 February, 2019 09:06 AM IST | મુંબઈ
પ્રીતિ ખુમાણ ઠાકુર

મુંબઈઃ વેપારીઓ આજે રાખશે રાષ્ટ્રીય બંધ સ્વૈચ્છિક

મુંબઈના બજારો રહેશે બંધ

મુંબઈના બજારો રહેશે બંધ


પુલવામાના આતંકવાદી હુમલાનો વિરોધ કરવા માટે અને હુમલામાં જીવ ગુમાવનારા શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે ભારતભરના વેપારી સંઘો બંધ પાળશે. જે વેપારીઓએ પહેલાં જ માર્કેટ બંધ રાખી છે તેઓ કદાચ બંધમાં સામેલ નહીં થાય, પરંતુ આ સ્વૈચ્છિક બંધ હોવાથી વેપારીઓ પોતાની રીતે બંધ પાળવાના છે. આ બંધ દરમ્યાન કોઈ કૅન્ડલ-માર્ચનું તો કોઈ વેપારીઓ રૅલીનું આયોજન કરશે, જ્યારે અમુક વેપારીઓ શહીદો માટે ફન્ડ ભેગું કરશે. બંધ કરીને શું ફાયદો થશે એવો સવાલ પૂછતાં વેપારીઓનું કહેવું છે કે જવાનો આખું જીવન આપણા માટે આપે છે તો એક દિવસ જવાનો માટે વેપારીઓ આપી જ શકે છે, જ્યારે મહારાષ્ટ્રના અમુક વેપારીઓનું કહેવું છે કે મુખ્ય અસોસિએશન બંધ પાળી રહ્યું છે એટલે અમારે બંધ પાળવો પડે છે.

બંધ વિશે માહિતી આપતાં કૉન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સના મહારાષ્ટ્રના વાઇસ પ્રેસિડન્ટ અને થાણે જિલ્લા હોલસેલ વ્યાપારી વેલ્ફેર સંઘના અધ્યક્ષ સુરેશ ઠક્કરે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે ભારતના લોકો વિવિધ રીતે તેમની ભાવના વ્યક્ત કરે છે. એ અનુસાર આજે ભારતભરમાં વેપારીગણ ભેગા થઈને વિરોધ દાખવાના છે અને જવાનોને શ્રદ્ધાંજલિ આપશે. બંધ દરમ્યાન અમુક વેપારીઓ કૅન્ડલ-માર્ચ અને રૅલીનું આયોજન કરશે, જ્યારે અમુક વેપારીઓ શહીદોના પરિવાર માટે ફન્ડ ભેગું કરશે.



આ પણ વાંચોઃ મુંબઈ: પુલવામા આતંકી હુમલા માટે વૈષ્ણવ સંપ્રદાયે કરી કેન્ડલ માર્ચ


બંધ કરીને કંઈ મળવાનું નથી એવું અનેક વેપારીઓનું કહેવું છે એથી સ્વૈચ્છિક બંધ પાળવાનું વેપારીઓને કહેવાયું છે. અમુક વેપારીઓ જેમણે પહેલાં બંધ પાYયો હતો તેઓ પોતાની દુકાન ચાલુ રાખીને એક દિવસની કમાણી શહીદોના પરિવારને આપશે. અમુક વેપારીએ એમ પણ કહ્યું છે કે અસોસિએશને બંધનો આદેશ આપ્યો છે એટલે અમે પાળી રહ્યા છીએ. આ વિષય ભાવનાઓનો છે એથી વેપારીઓ સ્વૈચ્છિક રીતે પોતાનો નર્ણિય લઈ શકે છે.’


Whatsapp-channel Whatsapp-channel

18 February, 2019 09:06 AM IST | મુંબઈ | પ્રીતિ ખુમાણ ઠાકુર

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK