એક પણ શ્રોતા વિનાની બાપુની પહેલી રામકથા
એક પણ શ્રોતા વિનાની બાપુની પહેલી રામકથા
નવરાત્રિ દરમ્યાન પહેલા નોરતાથી મોરારિબાપુની રામકથા ગિરનાર પર્વતની ટોચ પર આવેલા કમંડળ કુંડ ખાતે શરૂ થશે. આ રામકથાની સૌથી મોટી ખાસિયત એ છે કે આ કથા મોરારિબાપુની પહેલી એવી રામકથા હશે જેમાં એક પણ શ્રોતાજન હાજર નહીં રહે. મોરારિબાપુએ કહ્યું કે ‘કોરોનાકાળમાં આ ચીવટ રાખવી અનિવાર્ય છે. કથામાં માત્ર વાદ્યકારો અને ટેક્નિશ્યન જ ઉપસ્થિત રહેશે, એક પણ શ્રોતાને હાજર રહેવા દેવામાં નહીં આવે.’
મોરારિબાપુની આ રામકથાની બીજી ખાસિયત એ છે કે લૉકડાઉન પછી પહેલી વાર મોરારિબાપુ ઘરની બહાર નીકળીને કથા કરી રહ્યા છે. શ્રોતાગણ વિના તેમણે આ સમયકાળમાં અન્ય પાંચ કથા કરી હતી, પણ એ રામકથા તેમના નિવાસસ્થાનેથી થઈ હતી અને આ રામકથા માટે બાપુ તલગાજરડામાંથી પહેલી વાર બહાર આવશે.
આ ઉપરાંત નવરાત્રિના દિવસોમાં મોરારિબાપુએ કટરામાં મા વૈષ્ણોદેવી સમક્ષ, તો ચોટીલામાં મા ચામુંડાની હાજરીમાં રામકથા કરી હતી. ગિરનાર પર