Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ત્રણ જણ જુએ છે (લાઇફ કા ફન્ડા)

ત્રણ જણ જુએ છે (લાઇફ કા ફન્ડા)

27 May, 2019 01:54 PM IST |
હેતા ભૂષણ - લાઇફ કા ફન્ડા

ત્રણ જણ જુએ છે (લાઇફ કા ફન્ડા)

ત્રણ જણ જુએ છે (લાઇફ કા ફન્ડા)


લાઇફ કા ફન્ડા

એક મહાત્મા પાસે બે યુવાન શિષ્ય બનવા આવ્યા. મહાત્મા જ્ઞાની હતા પણ એમ કોઈને શિષ્ય બનાવવા તૈયાર ન હતા. તેમણે પહેલાં તો ના પાડી. પેલા યુવાનોએ બહુ વિનંતી કરી ત્યારે મહાત્માજીએ તેમની પરીક્ષા લેવા માટે બન્નેને એક-એક ચકલી આપી અને કહ્યું, ‘તમે બન્ને આ ચકલીએ એવી જગ્યાએ લઈ જઈને મારી નાખો જ્યાં તમને કોઈ ન જુએ.’



પહેલો યુવાન ઉતાવળિયો પોતાના હાથમાં ચકલી લઈને તરત જ થોડે દૂર જંગલમાં ગયો અને એક ઝાડની પાછળ જઈ ચકલીને મારીને ત્યાં જ ફેંકીને આવી ગયો અને જેવી મરેલી ચકલી તેણે ફેંકી કે એક શિયાળ એને ખાઈ ગયું. બીજો યુવાન વધુ તકેદારી રાખતાં દૂર-દૂર સૂમસામ જગ્યા પર ગયો અને આજુબાજુ દસ વાર જોઈને તેણે ચકલીને મારવાની તૈયારી કરી. જેવો તે ચકલીની ડોક મરડવા ગયો કે તેને વિચાર આવ્યો, હું આ ચકલીને મારું છું ત્યારે તે મને જુએ છે અને હું તેને જોઉં છું એટલે અમે બે જણ અને ઉપર બેઠેલો ઈશ્વર તો અમને બન્નેને જુએ જ છે. મહાત્માજીએ કહ્યું છે કે જ્યાં કોઈ ન જુએ ત્યાં જઈને ચકલીને મારવાની છે, પરંતુ ક્યાંય પણ જાઉં ત્રણ જણ તો જોશે જ. તેણે ઘણો વિચાર કર્યો અને કોઈ માર્ગ ન સૂઝતા ચકલીને જીવતી જ લઈને મહાત્માજી પાસે ગયો.


ગુરુજીએ પહેલા યુવાનને પૂછ્યું, ‘મેં તને ચકલીને કોઈ ન જુએ ત્યાં મારવાનું કહ્યું હતું તે એ કેવી રીતે કર્યું અને પછી મરેલી ચકલીનું શું થયું?’

પહેલા યુવાને કહ્યું, ‘ગુરુજી, હું જંગલમાં ગયો અને ત્યાં કોઈ જુએ નહીં એ રીતે ચકલીની ડોક મરડીને મારી અને ત્યાં જ ફેંકી દીધી. એક શિયાળ એને ખાઈ ગયું.’


ગુરુજીએ તેને કહ્યું, ‘શિયાળે મરેલી ચકલી ખાધી. એનો અર્થ તે ચકલી મારીને ફેંકી એ શિયાળે તો જોયું જ અને મારી શરત હતી કે કોઈ ન જુએ ત્યાં ચકલીને મારવાની છે.’

મહાત્માજીએ બીજા યુવાનને પૂછ્યું, ભાઈ, તે શરત કેમ પૂરી કરી નથી. હજી આ ચકલી મારી નથી?’

આ પણ વાંચો : ઈશ્વરની મહેર (લાઇફ કા ફન્ડા)

યુવાને જવાબ આપ્યો, ‘મહાત્માજી, હું જ્યાં-જ્યાં ગયો ત્યાં હું, ચકલી અને ઈશ્વર ત્રણ જણ તો મારા કૃત્યના સાક્ષી થતા જ હતા અને ચાલો, મારી આંખ બંધ કરું; ચકલીની આંખે પાટા બાંધું પણ ઉપર બેઠેલો ઈશ્વર તો હું ક્યાંય પણ જઈ ચકલીને મારું તે જોવા શક્તિમાન જ છે અને એવી કોઈ જગ્યા મને મળી નહીં જ્યાં ઈશ્વર ન હોય.’

મહાત્માજી જવાબ સાંભળી ખુશ થયા અને બોલ્યા, ‘તું જ્ઞાન મેળવવા અધિકારી છે. હું તને જ્ઞાન આપીશ.’

Whatsapp-channel Whatsapp-channel

27 May, 2019 01:54 PM IST | | હેતા ભૂષણ - લાઇફ કા ફન્ડા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK