Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > કર્ણાટકના ગવર્નર વજુભાઈ વાળાને બૅન્ગલોરમાં સોરવતું નથી

કર્ણાટકના ગવર્નર વજુભાઈ વાળાને બૅન્ગલોરમાં સોરવતું નથી

28 October, 2014 05:38 AM IST |

કર્ણાટકના ગવર્નર વજુભાઈ વાળાને બૅન્ગલોરમાં સોરવતું નથી

કર્ણાટકના ગવર્નર વજુભાઈ વાળાને બૅન્ગલોરમાં સોરવતું નથી


vajubahi

રશ્મિન શાહ

પહેલી સપ્ટેમ્બરે વજુભાઈએ ગવર્નરના પદનો ચાર્જ સંભાળ્યો એટલે દિવસના હિસાબે કહી શકાય કે વજુભાઈને માંડ હજી તો સાઠ દિવસ થયા છે, પણ આ સાઠ દિવસમાં વજુભાઈ ઓછામાં ઓછા ચાલીસ વખત રાજકોટ આવી ગયા છે. ચાલીસમાંથી સત્તર વખત વજુભાઈ બે-ચાર કલાક માટે આવ્યા હતા તો ચૌદ વખત વજુભાઈ સવારથી સાંજ માટે રાજકોટ આવ્યા હતા જ્યારે નવ દિવસ તે રાજકોટમાં રાતવાસો કરી ગયા. કર્ણાટક ગમતું નથી એવું કહેવાને બદલે વજુભાઈ એવું કહે છે કે ‘સાલ્લું કાઠિયાવાડ ન્યાં ભુલાતું નથી, કૉફી ને સૅન્ડવિચું ખાધા કરવાની. ગાંઠિયા અને ચા તો ક્યાંય દેખાય નહીં. એવું થોડું ચાલે.’મજાની વાત એ છે કે વજુભાઈને કર્ણાટકની ચા બનાવવાની રીત પણ પસંદ નથી આવી એટલે આટલા વર્ષે હવે તે બૅન્ગલોરના ગવર્નર હાઉસમાં જાતે ચા બનાવે છે.


Whatsapp-channel Whatsapp-channel

28 October, 2014 05:38 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK