પહેલી જૂનથી રોજ દોડશે 200 ટ્રેનઃ ટૂંક સમયમાં માહિતી જાહેર કરાશે
ટ્રેનની પ્રતીકાત્મક તસવીર
પોતાના વતન પરત ફરવા માંગતા પરપ્રાંતિયો માટે ખૂબ જ રાહતના સમાચાર છે. ૧ લી જૂનથી રેલવે દરરોજ ૨૦૦ જેટલી નોન-એસી ટ્રેન દોડાવાશે. એવું રેલવે મિનિસ્ટ્રી દ્વારા ગઈ કાલે જણાવાયું છે. જો કે આ ટ્રેનનું બુકીંગ માત્ર ઓનલાઇન જ કરી શકાશે. ક્યાંથી અને કેટલા વાગે આ ટ્રેન ઉપડશે એની માહીતી પણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. હાલ દેશમાં દોડી રહેલી શ્રમિક સ્પેશયલ ટ્રેન ઉપરાંત આ ટ્રેનો દોડાવવામાં આવશે.
આ ટ્રેનોમાં વેટિંગ લિસ્ટની ટિકિટ પણ મળી શકે છે, પરંતુ તાત્કાલિક અથવા પ્રીમિયમ તત્કાલ વ્યવસ્થા નહીં હોય. આ ટ્રેનોનું બુકિંગ રેલવેની IRCTCની વેબસાઇટ દ્વારા પણ કરવામાં આવશે. કયા દિવસથી બુકિંગ શરૂ થશે તે અંગે તમને ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે.