ધો.12 કોમર્સનું 73.72% પરીણામ, સૌથી વધુ પાટણ જીલ્લાનું પરીણામ
તસ્વિર સૌજન્ય : Jagran.com
સુરતમાં કોચીંગ ક્લાસમાં થયેલ હાદસા બાદ ગુજરાત શિક્ષણ બોર્ડનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરીણામ જાહેર થઇ હયું છે. આમ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 73.72 ટકા પરિણામ જાહેર થઇ ગયું છે. ગુજરાતમાંથી કુલ 5.33લાખ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. પરિણામ બોર્ડની વેબસાઇટ www.gseb.org પરથી વહેલી સવારથી જાહેર થઇ ગયું છે. જ્યારે 11 વાગ્યાથી શાળામાંથી માર્કશીટ મેળવી શકાશે.
સૌથી વધુ પરીણામ પાટણ જિલ્લો અને સૌથી ઓછું પંચમહાલનું પરીણામ
મળી રહેલ માહિતી પ્રમાણે ધોરણ 12 સામાન્ય પ્રવાહના જાહેર થયેલ પરીણામમાં સૌથી વધુ પરિણામ પાટણ જિલ્લાનું 85.03 ટકા આવ્યું છે. તો બીજી તરફ સૌથી ઓછું પરિણામ પંચમહાલનું 45.82 ટકા પરિણામ આવ્યું છે. 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓ 222 છે. તો 10 ટકાથી ઓછું પરિણામ ધરાવતી 79 શાળાઓ છે. સૌથી વધુ પરિણામ અમદાવાદના નવરંગપુરા કેન્દ્રનું 95.66 ટકા છે, જ્યારે સૌથી ઓછું પંચમહાલ મોરવા રેણાનું 15.43 ટકા આવ્યું છે.
વર્ષ 2018માં પરિણામ 55.52%, વ્યવસાયિક પ્રવાહનું 52.29% રહ્યું હતું. 2019માં સૌથી વધુ રેગ્યુલર 39 હજાર વિદ્યાર્થી સુરતથી નોંધાયા છે. જ્યારે કેન્દ્રશાસિત પ્રદેશોને બાદ કરતાં સૌથી ઓછા 1511 વિદ્યાર્થી ડાંગ-આહવામાંથી નોંધાયા છે.