Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > પાલારના કેદીઓએ બનાવેલાં ભજિયાં રણોત્સવનું અટ્રૅક્શન

પાલારના કેદીઓએ બનાવેલાં ભજિયાં રણોત્સવનું અટ્રૅક્શન

24 January, 2020 07:48 AM IST | Bhuj
Utsav Vaidh

પાલારના કેદીઓએ બનાવેલાં ભજિયાં રણોત્સવનું અટ્રૅક્શન

પાલાર ભજિયા હાઉસ

પાલાર ભજિયા હાઉસ


કચ્છના બન્ની વિસ્તારના હોડકો નજીકના રણમાં ‘કચ્છ રણોત્સવ’ ચાલી રહ્યો છે ત્યારે આ રણ મહોત્સવને માણવા જઈ રહેલા કે પાછા આવતા પર્યટકો માટે ભુજથી થોડે દૂર પાલારા મહાદેવના સાંનિધ્યમાં એક નવતર પ્રકારનું ભજિયાગૃહ જોવા મળે છે. આ ભજિયા હાઉસ એટલા માટે વિશિષ્ટ છે કે એની સ્થાપના ભુજની ખાસ જેલ તરીકે ઓળખાતી પાલારા જેલના કેદીઓએ કરી છે. આ ભજિયા હાઉસમાં કેદીઓ જુદા-જુદા પ્રકારનાં ભજિયાં બનાવે છે, એટલું જ નહીં, એમાં બન્ને ટાઇમ ગુજરાતી થાળી પણ પીરસાય છે.

આ ભજિયા હાઉસ વહેલી સવારથી ખૂલી જાય છે અને અહીં ભુજ-ખાવડા મિલિટરી માર્ગ પર અવરજવર કરતાં વાહનો રોકાય છે અને ગરમાગરમ ભજિયાંનો સ્વાદ લે છે. અહીં ભજિયાં સાંજે ૬ વાગ્યા સુધી મળે છે અને ત્યાર બાદ કેદીઓ ડિનર બનાવવાની વ્યવસ્થામાં પરોવાઈ જાય છે. પાલારા જેલ પાસેના આ ભજિયા હાઉસ પાસે એસટી બસો પણ ક્યારેક રોકાય છે જે ઉતારુઓ માટે આશીર્વાદરૂપ બને છે.



આ પણ વાંચો : કલયુગમાં સતયુગની ઝાંખી: બસના ડ્રાઈવરે મહિલાની ખોવાયેલી બેગ પાછી સોંપી દીધી


આ જેલ ભજિયા હાઉસનું સંચાલન પાલારા ખાસ જેલ દ્વારા કરવામાં આવે છે. અહીં માત્ર ભજિયાં જ નહીં, પણ ‘કચ્છી માની’, ‘રીંગણનો ઓળો’ પણ મળે છે જે ખાસ કરીને વિદેશી પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. ઉલ્લેખનીય છે કે આવું જ ભજિયા હાઉસ સાબરમતી જેલના સત્તાધીશોએ પણ ઊભું કર્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

24 January, 2020 07:48 AM IST | Bhuj | Utsav Vaidh

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK