Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > 24 માર્ચથી ગુજરાતમાં ભાજપ કરશે ચૂંટણી પ્રચારનો શંખનાદ

24 માર્ચથી ગુજરાતમાં ભાજપ કરશે ચૂંટણી પ્રચારનો શંખનાદ

20 March, 2019 04:50 PM IST | ગાંધીનગર

24 માર્ચથી ગુજરાતમાં ભાજપ કરશે ચૂંટણી પ્રચારનો શંખનાદ

24 માર્ચથી ગુજરાતમાં ભાજપ કરશે ચૂંટણી પ્રચારનો શંખનાદ


લોકસભાની ચૂંટણી આડે હવે ગણતરીના જ દિવસો બાકી છે, ત્યારે ઉમેદવારોને લઈ ભાજપ-કોંગ્રેસ બંને મંથન કરી રહ્યા છે. સાથે જ ચૂંટણી પ્રચાર પણ જોરશોરથી શરૂ થઈ ચૂક્યો છે. ભાજપ તરફથી પીએમ મોદી તો કોંગ્રેસ તરફથી પ્રિયંકા ગાંધી સતત પ્રચાર કરી રહ્યા છે. ત્યારે હવે ગુજરાત ભાજપ દ્વારા પણ રાજ્યમાં પ્રચારનો પ્લાન જાહેર કરી દેવાયો છે. ગુજરાતમાં ભાજપ 24 એપ્રિલથી ચૂંટણી પ્રચાર શરૂ કરશે. ગુજરાતની તમામ લોકસભા બેઠકો પર ભાજપ વિજય વિશ્વાસ સંમેલન યોજીને પ્રચાર કરશે.

24થી 26 માર્ચ સુધી યોજાનારા આ વિજય વિશ્વાસ સંમેલનમાં ભાજપના રાષ્ટ્રીય નેતાઓ અને કેન્દ્રીય પ્રધાનો પણ સામેલ થશે. તો કેટલાક જિલ્લાઓમાં વરિષ્ઠ નેતાઓ પણ હાજરી આપીને પ્રચાર કરશે. ગુજરાતની સાથે સાથે જ ભાજપે દેશભરમાં એક સાથે ચૂટણી સભાઓ યોજવાનું આયોજન કર્યું છે. દેશભરમાં 24 માર્ચથી જ ચૂંટણી સબાઓ શરૂ થશે. 24થી 26 માર્ચ દરમિયાન દેશભરમાં ભાજપ 500થી વધુ સભાઓ કરશે. દેશભરમાં 500 સ્થળોએ વિજય સંકલ્પ સભાઓ કરશે. અંદાજે 480 લોકસભા બેઠકો પર સભાનુ આયોજન કરાશે.



આ પણ વાંચોઃ ગાંધીનગર : ઉમેદવારોની પસંદગી માટે BJPની બેઠક CMના બંગલે મળતાં થયો વિવાદ


ઉલ્લેખનીય છે કે ગુજરાતની 26 લોકસભા બેઠકો પર ઉમેદવારો પસંદ કરવા માટે ભાજપના નીરિક્ષકોએ સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે. બાદમાં આજે દિલ્હીમાં આ ઉમેદવારોના નામ પર આખરી ચર્ચા થશે. ભાજપના પ્રભારી ઓમ માથુર દિલ્હીની મુલાકાતે છે. તેઓ આજે અમિત શાહ સાથે બેઠક કરીને 26 ઉમેદવારોના નામ પર ચર્ચા કરશે.


Whatsapp-channel Whatsapp-channel

20 March, 2019 04:50 PM IST | ગાંધીનગર

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK