Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > સવારે ૯ પહેલાં અને સાંજે પાંચથી સાત વચ્ચે પતંગ ન ચગાવો, પ્લીઝ

સવારે ૯ પહેલાં અને સાંજે પાંચથી સાત વચ્ચે પતંગ ન ચગાવો, પ્લીઝ

14 January, 2020 07:55 AM IST | Rajkot
Rashmin Shah | rashmin.shah@mid-day.com

સવારે ૯ પહેલાં અને સાંજે પાંચથી સાત વચ્ચે પતંગ ન ચગાવો, પ્લીઝ

સવારે ૯ પહેલાં અને સાંજે પાંચથી સાત વચ્ચે પતંગ ન ચગાવો, પ્લીઝ


આજે ઉત્તરાયણ નિમિત્તે ખ્યાતનામ લોકકલાકાર કીર્તિદાન ગઢવીએ પતંગની આપણી મજા પક્ષીઓ માટે સજા ન બની જાય એવું આહ્‍વાન કરતા વિડિયો વાઇરલ કર્યો હતો અને એમાં ચાઇનીઝ દોરી અને તુગ્ગલને કારણે પક્ષીઓને ઈજા ન પહોંચે એનું ધ્યાન રાખવાનું કહ્યું હતું અને સાથોસાથ તળના માનવી તરીકે તેમણે પોતાનું સરસ ઑબ્ઝર્વેશન ટાંકતાં કહ્યું હતું કે પતંગની મજા લેવી જ હોય તો બે સમયે લેવાનું ટાળો. કીર્તિદાને કહ્યું હતું કે સવારે ૯ વાગ્યા પહેલાં અને સાંજે પાંચથી સાત વાગ્યા દરમ્યાન પતંગ ન ઉડાડીએ, કારણ કે સવારે ૯ પહેલાં પક્ષીઓ ઊડતાં હોય છે અને સાંજે પાંચથી સાત દરમ્યાન પક્ષીઓ ચણીને પાછાં પોતાના માળામાં આવતાં હોય છે.
આ બે સમય સિવાયના સમયગાળામાં પતંગ ઉડાડવી હોય તો ઉડાડવી જોઈએ એવું કહેતાં કીર્તિદાને કહ્યું હતું કે ચાઇનીઝ દોરી કે તુગ્ગલનો ઉપયોગ કર્યા વિના આપણે આપણો તહેવાર આપણી રીતે, આપણી ચીજવસ્તુઓથી માણીએ.


Whatsapp-channel Whatsapp-channel

14 January, 2020 07:55 AM IST | Rajkot | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK