Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈમાં 15 લાખથી વધુ લોકો થયા હતા હોમ-ક્વૉરન્ટીન

મુંબઈમાં 15 લાખથી વધુ લોકો થયા હતા હોમ-ક્વૉરન્ટીન

08 July, 2020 12:01 PM IST | Mumbai
Agencies

મુંબઈમાં 15 લાખથી વધુ લોકો થયા હતા હોમ-ક્વૉરન્ટીન

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મુંબઈમાં રહેતા ૧૫ લાખ લોકોને કોરોના વાઇરસથી સંક્રમિત થયા બાદ હોમ-ક્વૉરન્ટીન કરવામાં આવ્યા હતા. મુંબઈ મહાનગરપાલિકાના અધિકારીએ જણાવ્યા અનુસાર આ ૧૫ લાખમાંથી ૫.૩૪ લાખ દર્દીઓ એવા છે જેમને હાઈ રિસ્ક હેઠળ હોમ-ક્વૉરન્ટીન કરવામાં આવ્યા હતા. ૧૩.૨૮ લાખ લોકો એવા હતા જેઓ પૂર્ણપણે સાજા થઈ ગયા છે. તેઓને ૧૪ દિવસ માટે હોમ-ક્વૉરન્ટીન કરવામાં આવ્યા હતા.

મુંબઈ મહાનગરપાલિકાએ એની વેબસાઇટમાં આપેલા આંકડા અનુસાર ૧૫ લાખ મુંબઈગરાઓ અત્યારે કોરોનાની ચપેટમાં હોવાથી તેમને હોમ-ક્વૉરન્ટીન કરવામાં આ‍વ્યા હતા. આ દર્દીઓમાંના ૨.૪૬ લાખ દર્દીઓને હોમ-ક્વૉરન્ટીન કરવામાં આવ્યા છે. ૧૪,૨૮૮ દર્દીઓ એવા છે જેમને ક્વૉરન્ટીન સેન્ટરમાં રાખવામાં આવ્યા છે, તો ૧૧,૪૦૯ દર્દીઓને કોવિડ કૅર સેન્ટર-1ની ફૅસિલિટી હેઠળ રાખવામાં આ‍વ્યા છે, જ્યારે ૨૮૭૯ દર્દીઓને કોવિડ કૅર સેન્ટર-2ની ફૅસિલિટી હેઠળ રાખવામાં આ‍વ્યા છે.



કોવિડ કૅર સેન્ટર-1ની ફૅસિલિટી મોટા ભાગે હોટેલ અને હૉલમાં બનાવવામાં આવી છે, જ્યારે કોવિડ કૅર સેન્ટર-2ની ફૅસિલિટી જિમખાના અને હૉલમાં બનાવવામાં આવી છે, જ્યારે ૨૪ કલાક ડૉક્ટરો અને નર્સ દર્દીઓની સેવામાં હોય છે.


Whatsapp-channel Whatsapp-channel

08 July, 2020 12:01 PM IST | Mumbai | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK