પેટ્રોલ ડીલર્સ અસોસિએશન-મુંબઈ દ્વારા સીએનજી વેચવાના કમિશનના રેટમાં વધારો કરવામાં ન આવતાં એનો વિરોધ કરવા આજથી મુંબઈ, થાણે અને રાયગડ જિલ્લાનાં સીએનજીનાં સ્ટેશનોને બંધ પાળવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ આદેશ પાછો ખેંચવા વિશે પેટ્રોલ ડીલર્સ અસોસિએશનના એમ. વેન્કટ રાવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઑઇલ-કંપનીઓ, એક્સાઇઝના બેદીસાહેબ, સ્ટેટ લેવલના પેટ્રોલિયમ કો-ઑર્ડિનેટર પરમાર અને મહાનગર ગૅસના અધિકારીઓની ગઈ કાલે બપોરે બે વાગ્યા પછી ચાલુ થયેલી મીટિંગ પછી ઑઇલ-કંપનીઓ પાસે ત્રણ અઠવાડિયાં અને અમારી પાસે ચાર અઠવાડિયાંની મુદત યોગ્ય નિર્ણય લેવા માટે માગી હોવાથી અમે હાલ પૂરતો બેમુદત બંધ પાછો ખેંચી લીધો છે.’
સીએનજીના વેચાણ પાછળ સીએનજીના ડીલરોને ૩૧.૪૭ રૂપિયે કિલો વેચાતા ગૅસ પર કિલોદીઠ ૮૭ પૈસા નફો મળે છે. સમય સાથે તેમના ઇલેક્ટ્રિસિટીથી લઈને પગાર, યુનિફૉર્મ જેવા વધારાના ખર્ચ વધી ગયા છે; પણ તેમના નફામાં ૧૮ વર્ષથી કોઈ વધારો નથી થયો. તેમના પત્રવ્યવહારને યોગ્ય જવાબ ન મળતાં સીએનજીના ડીલરોએ બેમુદત બંધ પાળવાનો નિર્ણય લીધો હતો. સીએનજી ડીલર્સ અસોસિએશનની ડિમાન્ડ અત્યારનું કિલોદીઠ ૮૭ પૈસાનું કમિશન વધારીને ૨.૫૦ રૂપિયા કરવાની છે.
મુંબઇમાં આજે નહીં લાગે Corona Vaccine, જાણો વધુ
7th March, 2021 13:45 ISTVideo: 100મા જન્મદિવસે મુંબઇના આ 'દાદી'ને પહેલા વેક્સીન અને પછી આ...
7th March, 2021 12:10 ISTWomen’s Day: સફળ કારકિર્દી અને શોખમાંથી શોખની પસંદગી કરી છે ધર્મિષ્ઠા પટેલે
7th March, 2021 12:07 ISTમાનવભક્ષી વાઘણના બચ્ચાને પેન્ચના જંગલમાં છોડી મુકાયું
7th March, 2021 09:27 IST