લોન રિકવરી માટે મસલમૅનનો ઉપયોગ ન કરવા સામે બૅન્કોને ચેતવણી
રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમ્યાન બોલતાં ચિદમ્બરમે એમ પણ કહ્યું હતું કે ‘જે બૅન્ક લોનની રિકવરી માટે મસલમૅન કે અનિચ્છનીય તત્વોનો ઉપયોગ કરતી હોય તો મહેરબાની કરીને મને એની જાણ કરવી. આ બૅન્ક સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવશે.’
ચિદમ્બરમે કહ્યું હતું કે ‘મેં સરકારી માલિકીની બૅન્કોના વડાઓને કહી દીધું છે કે નૉન-પર્ફોર્મિંગ ઍસેટ્સ (એનપીએ)નું પ્રમાણ નીચે આવે કે ઉપર જાય પણ લોનની રિકવરી સન્માનનીય રીતે થવી જોઈએ.’