Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વિક્રોલીમાં રેલવેની જમીનનો સર્વે કરવાનો ર્કોટનો આદેશ

વિક્રોલીમાં રેલવેની જમીનનો સર્વે કરવાનો ર્કોટનો આદેશ

22 October, 2011 07:36 PM IST |

વિક્રોલીમાં રેલવેની જમીનનો સર્વે કરવાનો ર્કોટનો આદેશ

વિક્રોલીમાં રેલવેની જમીનનો સર્વે કરવાનો ર્કોટનો આદેશ






વિક્રોલીમાં કિલર ફાટકને બંધ કરીને ઈસ્ટ અને વેસ્ટને જોડતો એક ફૂટઓવર બ્રિજ રેલવેએ બાંધ્યો છે, પણ પશ્ચિમ તરફ આ ફૂટઓવર બ્રિજને સ્ટેશનની બહાર દુકાનો હોવાને કારણે પ્લૅટફૉર્મ નંબર એક પર જ રસ્તો આપ્યો હોવાથી  ભીડના સમયે પ્રવાસીઓને ભારે અગવડ પડતી હોય છે એ મુજબની જનહિતની એક અરજી ર્કોટમાં એક સ્થાનિક રહેવાસીએ કરી છે. એમાં તેણે પ્લૅટફૉર્મ નંબર એકને અડીને આવેલા મૉલ અને સ્ટેશનની બહાર આવેલી ૨૪ દુકાનોના માલિકોને પ્રતિવાદી બનાવ્યા છે અને આ દુકાનો તથા મૉલને તોડી પાડવાની માગણી કરી છે. આ અરજી સામે આ દુકાનોના માલિકોએ તેમની દુકાન સુધરાઈની જગ્યા પર હોવાની અને એ માટે તેમણે સુધરાઈ પાસેથી કાયદા મુજબ જરૂરી મંજૂરી મેળવી હોવાનું ર્કોટને જણાવ્યું હતું. તેથી બુધવારે હાઈ ર્કોટની ખંડપીઠે આ જમીનમાં રેલવે, સુધરાઈ તથા પ્રાઇવેટ માલિકીનો કેટલો હિસ્સો છે એનો સર્વે કરીને રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો હતો.

Whatsapp-channel Whatsapp-channel

22 October, 2011 07:36 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK