વિક્રોલી રેલવે-સ્ટેશન પર પ્લૅટફૉર્મ નંબર એકને અડીને આવેલી દુકાનોનાં અતિક્રમણોને હટાવવાની માગણી કરતી જનહિતની એક અરજી બૉમ્બે હાઈ ર્કોટમાં દાખલ કરવામાં આવી છે. એના પર હાઈ ર્કોટની ખંડપીઠે આ જમીનનું સર્વેક્ષણ કરીને એમાં સુધરાઈ, રેલવે તથા પ્રાઇવેટ માલિકીની કેટલી જમીન છે એની માહિતી ર્કોટને સુપરત કરવાનો આદેશ આપ્યો છે.
વિક્રોલીમાં કિલર ફાટકને બંધ કરીને ઈસ્ટ અને વેસ્ટને જોડતો એક ફૂટઓવર બ્રિજ રેલવેએ બાંધ્યો છે, પણ પશ્ચિમ તરફ આ ફૂટઓવર બ્રિજને સ્ટેશનની બહાર દુકાનો હોવાને કારણે પ્લૅટફૉર્મ નંબર એક પર જ રસ્તો આપ્યો હોવાથી ભીડના સમયે પ્રવાસીઓને ભારે અગવડ પડતી હોય છે એ મુજબની જનહિતની એક અરજી ર્કોટમાં એક સ્થાનિક રહેવાસીએ કરી છે. એમાં તેણે પ્લૅટફૉર્મ નંબર એકને અડીને આવેલા મૉલ અને સ્ટેશનની બહાર આવેલી ૨૪ દુકાનોના માલિકોને પ્રતિવાદી બનાવ્યા છે અને આ દુકાનો તથા મૉલને તોડી પાડવાની માગણી કરી છે. આ અરજી સામે આ દુકાનોના માલિકોએ તેમની દુકાન સુધરાઈની જગ્યા પર હોવાની અને એ માટે તેમણે સુધરાઈ પાસેથી કાયદા મુજબ જરૂરી મંજૂરી મેળવી હોવાનું ર્કોટને જણાવ્યું હતું. તેથી બુધવારે હાઈ ર્કોટની ખંડપીઠે આ જમીનમાં રેલવે, સુધરાઈ તથા પ્રાઇવેટ માલિકીનો કેટલો હિસ્સો છે એનો સર્વે કરીને રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો હતો.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK