પૉન્ડિચેરીમાં ૪૩ વર્ષની વ્યક્તિની ધરપકડ, એણે કહ્યું...
ફાઈલ તસવીર
પૉન્ડિચેરી પોલીસે ૪૩ વર્ષના એક શખ્સની ધરપકડ કરી છે. તેના પર ફેસબુક પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હત્યા કરવાનો સંદેશો મૂકવાનો આરોપ છે. તેણે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે ‘જો મને કોઈ પાંચ કરોડ રૂપિયા આપે તો હું વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હત્યા કરવા તૈયાર છું.’
સોશ્યલ મીડિયા પર વિવાદિત પોસ્ટ મૂકવાના મામલે પોલીસે આર્યનકુપ્પમ ગામના એક વ્યક્તિને ગુરુવારે પકડી પાડ્યો હતો. હાલમાં તેને જેલભેગો કરી દેવાયો છે. પૉન્ડિચેરી પોલીસના સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે આરોપીનું નામ સત્યાનંદમ છે અને તે રિયલ એસ્ટેટનું કામ કરતો હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે. હાલમાં તેના પર ઇપીકોની જુદી-જુદી કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીએ ફેસબુક પર વિવાદાસ્પદ પોસ્ટ મૂકી હતી. ગુરુવારે એક કારચાલકે આ સંદેશો જોયો હતો એથી તેણે તુરત જ પોલીસને જાણ કરી હતી. ત્યાર બાદ પોલીસે તરત જ કાર્યવાહી કરીને તેને પકડી પાડ્યો હતો.