પાલઘરમાં ગેરકાયદે રોકાયેલા ૧૪ વિદેશીઓની ધરપકડ
પ્રતીકાત્મક તસવીર
વિઝા અને પાસપોર્ટની સમયમર્યાદા સમાપ્ત થઈ ગઈ હોવા છતાં મહારાષ્ટ્રમાં ગેરકાયદે રહેતા ૧૪ વિદેશી નાગરિકોની પોલીસે ધરપકડ કરી હતી.
પોલીસે બાતમીના આધારે મંગળવારે પાલઘરના પ્રગતિનગર ખાતે તપાસ આદરી હતી અને કાયદેસર દસ્તાવેજો વિના એક કૉમ્પ્લેક્સમાં રહેનારા ૧૪ વિદેશીઓની ધરપકડ કરી હોવાનું પોલીસ પ્રવક્તા ટિકારામ થાટકરે જણાવ્યું હતું.
ધરપકડ કરાયેલા પૈકીના ૧૨ નાઇજીરિયન નાગરિક, એક યુગાન્ડાનો અને એક આઇવરી કોસ્ટનો નાગરિક છે.
તમામ માણસો વિરુદ્ધ ફૉરેનર્સ ઍક્ટ અને પાસપોર્ટ્સ ઍક્ટની સુસંગત કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે એમ અધિકારીએ જણાવ્યું હતું.