મુખ્ય પ્રધાન મોદી સાથે ૧૧૧૧૧ લોકોના ઉપવાસ
ગઈ કાલના ઉપવાસ દરમ્યાન મુખ્ય પ્રધાનના સદ્ભાવના મિશનનો વિરોધ કરવા કોઈ કૉન્ગ્રેસી કાર્યકરે ઉપવાસ નહોતો કર્યો. જામનગરમાં સતકર્મ ઉપવાસનો કાર્યક્રમ પણ કૉન્ગ્રેસે રદ કર્યો હતો. ઉપવાસની પૂર્ણાહુતિ વખતે મુખ્ય પ્રધાને કહ્યું હતું કે ‘આજે તો બોલવામાં પણ બહુ મજા નહીં આવે. સામે કોઈ સાંભળવાવાળું જ ક્યાં છે?’
જામનગર પછી ગુરુવારે જૂનાગઢ અને સોમવારે રાજકોટમાં સદ્ભાવના ઉપવાસ કરવામાં આવશે.
રાજકોટમાં ૨૧,૧૧૧ લોકો મુખ્ય પ્રધાનના સદ્ભાવના ઉપવાસમાં જોડાવાના છે, તો જૂનાગઢમાં ૮૮૮૮ લોકો મુખ્ય પ્રધાન સાથે ઉપવાસમાં જોડાવાના છે.