Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સેક્સ એન્ડ રિલેશનશિપ > આર્ટિકલ્સ > વાઇફની મંદ પડેલી કામેચ્છા ફરી જગાડવા માટે શું કરવાનું?

વાઇફની મંદ પડેલી કામેચ્છા ફરી જગાડવા માટે શું કરવાનું?

Published : 28 June, 2023 04:46 PM | IST | Mumbai
Dr. Mukul Choksi | askgmd@mid-day.com

ઉત્થાન થોડું સખતપણું રહેતું હોય, પણ યોનિપ્રવેશ પહેલાં જ જો ઉત્થાન ઓછું થઈ જાય કે બેસી જાય તો હવે આપણે ત્યાં વાયેગ્રા પ્રકારની જે મેડિસિન બને છે એનો વપરાશ કરી શકાય

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

કામવેદ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


મારી ઉંમર ૬૦ વર્ષની છે. હવે હું સંપૂર્ણ નિવૃત્ત છું. મને એક વિચિત્ર તકલીફ શરૂ થઈ છે. થોડા સમયથી મારી કામેચ્છા મંદ પડી હતી, પણ છેલ્લા છ-સાત મહિનાથી ફરી કામેચ્છા જાગવા માંડી છે, પણ ઇન્દ્રિયમાં સખતપણું લાંબું ટકતું નથી. ઉત્થાન ટકી રહે એ માટે કોઈ ઉપાય છે? બીજી વાત, મારામાં જેમ કામેચ્છા જાગી છે એવી જ રીતે મારી વાઇફમાં પણ એ જાગે એની માટે મારે શું કરવું, જેથી તે પણ મને પૂરતો સહકાર આપે. માહિમ

ઉત્તેજનાના અનેક પ્રકાર છે. બિલકુલ ઉત્તેજના ન આવે તો એના માટેનાં કેટલાંક ઇન્જેક્શન આવે છે, જે ડૉક્ટરની સલાહ લઈને લેવાં જોઈએ, પણ તમને એની કોઈ આવશ્યકતા નથી. ઉત્થાન થોડું સખતપણું રહેતું હોય, પણ યોનિપ્રવેશ પહેલાં જ જો ઉત્થાન ઓછું થઈ જાય કે બેસી જાય તો હવે આપણે ત્યાં વાયેગ્રા પ્રકારની જે મેડિસિન બને છે એનો વપરાશ કરી શકાય, પણ એક વાત યાદ રાખજો, આ પ્રકારની કોઈ દવા ડૉક્ટરની સલાહ વિના લેવી જોઈએ નહીં. ડૉક્ટરને રૂબરૂ મળીને જ આવી દવાઓ લેવી. સામાન્ય રીતે મોટા ભાગની પ્રીસ્ક્રાઇબ્ડ ડ્રગ્સ હોવાથી મેડિકલ સ્ટોર પરથી એ મળશે પણ નહીં.



કામેચ્છા કાયમ જાગૃત રહે એવું હોતું નથી. એ સમયાંતરે સ્ટ્રેસ, ટેન્શન, ડીપ્રેશન કે બ્લડ પ્રેશરને આધારિત વર્તતી રહે છે. એમાં ઘટાડો-વધારો પણ નૅચરલ છે એટલે એની પણ ચિંતા કરવી નહીં. વિચારોમાં સ્વસ્થતા હોય તો બધું નૉર્મલ લાગવા માંડે અને જો બધું નૉર્મલ હોય તો તમામ પ્રકારના આનંદની પણ ઇચ્છા થવા માંડે. તમે તમારા વાઇફની જે વાત કરી છે એમાં પણ આ જ વાત લાગુ પડે. તમે જુઓ કે તેના મનમાં કોઈ ચિંતા કે તણાવ છે કે નહીં. કહ્યું એમ, ચિંતાની પહેલી આડઅસર કામેચ્છામાં ઘટાડો છે. જો એવું હોય તો પહેલાં એ ચિંતા દૂર કરો અને જો એવું ન હોય અને તો પણ તેને કામેચ્છા ન જાગતી હોય તો તમે તેની સાથે લાગણીસભર વાતોથી મનમાં લાગણી જન્માવીને એ રસ્તે કામેચ્છા જગાડી શકો છો. તમે જે ઉંમર પર છો એ ઉંમરે આ જ રસ્તો શ્રેષ્ઠ રહે. એક વાત યાદ રાખજો, પુરુષ કામસુખ મેળવવા પ્રેમ કરે છે અને સ્ત્રી પ્રેમ માટે કામસુખ આપે છે. કામસુખ જોઈતું હોય તો તમારે પ્રેમની પરિભાષાનો ઉપયોગ કરવો પડશે.


Whatsapp-channel Whatsapp-channel

28 June, 2023 04:46 PM IST | Mumbai | Dr. Mukul Choksi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK