Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > Mauni Amavasya 2024: આજે છે મૌની અમાસ, જાણો મૂહુર્ત, મહત્ત્વ અને ઉપાય

Mauni Amavasya 2024: આજે છે મૌની અમાસ, જાણો મૂહુર્ત, મહત્ત્વ અને ઉપાય

09 February, 2024 10:02 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Mauni Amavasya 2024: મૌની અમાસના દિવસે લોકો પવિત્ર નદીમાં આસ્થાની ડૂબકીઓ લગાડે છે. શાસ્ત્રોમાં આ દિવસે મૌન રહીને દાન અને સ્નાન કરવાનું ખાસ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે.

મૌની અમાવસ્યા માટેની પ્રતીકાત્મક તસવીર

મૌની અમાવસ્યા માટેની પ્રતીકાત્મક તસવીર


Mauni Amavasya 2024: મૌની અમાસના દિવસે લોકો પવિત્ર નદીમાં આસ્થાની ડૂબકીઓ લગાડે છે. શાસ્ત્રોમાં આ દિવસે મૌન રહીને દાન અને સ્નાન કરવાનું ખાસ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. માન્યતા છે કે આ દિવસે કોઈ પવિત્ર નદીમાં સ્નાન બાદ દાન કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે.


Mauni Amavasya 2024: પોષ મહિનાના કૃષ્ણ પક્ષની અમાસને મૌની અમાસ અથવા પોષી અમાસ કહેવામાં આવે છે. મૌની અમાસના દિવસે લોકો પવિત્ર નદીમાં ડૂબકી લગાડે છે. શાસ્ત્રોમાં આ દિવસે મૌન રહીને દાન અને સ્નાન કરવાનું ખાસ મહત્ત્વ કહેવામાં આવ્યું છે. માન્યતા છે કે આ દિવસે કોઈ પવિત્ર નદીમાં સ્નાન બાદ દાન કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. આ દિવસે કરવામાં આવેલા દાન-પુષ્ણ અને પૂજનથી અન્ય દિવસોની તુલનામાં હજારો ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે અને ગ્રહ દોષોના પ્રભાવ પણ ઘટે છે. આ દિવસે પ્રાતઃ સ્નાન બાદ સૂર્યને દૂધ, તલથી અર્ધ્ય આપવું પણ ખાસ લાભદાયક નીવડે છે. આ વર્ષે મૌની અમાસ 9 ફેબ્રુઆરીના છે. એવામાં જાણો મૌની અમાસનું મહત્ત્વ અને ઉપાય...



મૌની અમાવસ્યા ક્યારે છે?
હિંદુ કેલેન્ડર મુજબ, આ વર્ષે પોષ મહિનાના કૃષ્ણ પક્ષની અમાવસ્યા તિથિ 9 ફેબ્રુઆરીના રોજ સવારે 8.02 વાગ્યાથી શરૂ થશે. તે બીજા દિવસે એટલે કે 10મી ફેબ્રુઆરીના રોજ સવારે 4.28 કલાકે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં આ વર્ષે મૌની અમાવસ્યા 9 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે. (Mauni Amavasya 2024)


મૌની અમાવસ્યાનું મહત્વ
મૌની અમાવસ્યા તમામ અમાવસ્યા તિથિઓમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. મૌની અમાવસ્યાના દિવસે મૌન રહેવું ખૂબ જ શુભ છે. આ દિવસે સવારે પવિત્ર નદીમાં સ્નાન કરો. જે લોકો કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરી શકતા નથી તેઓ ગંગા જળને પાણીમાં ભેળવીને ઘરે સ્નાન કરી શકે છે.

આ સિવાય અમાવસ્યાના દિવસે તલ, તલના લાડુ, તલનું તેલ, કપડાં અને આમળાનું દાન કરવું શુભ માનવામાં આવે છે. તેમજ આ દિવસે પિતૃઓને અર્ઘ્ય અર્પણ કરવું અને પિતૃ તર્પણ કરવું શુભ છે.


આ ઉપાયો કરો
શાસ્ત્રો અનુસાર મૌની અમાવસ્યા પર 11 લવિંગ અને કપૂરથી હવન કરો. ત્યારબાદ કનકધારા સ્તોત્રનો પાઠ કરો. તેનાથી આર્થિક તંગી દૂર થાય છે. આ ઉપરાંત લોનમાં આપેલા પૈસા પણ જલ્દી પરત મળી જાય છે.

આ સિવાય રાત્રે નદીમાં 5 લાલ ગુલાબ અને 5 પ્રગટાવેલા દીવાઓ તરતા મૂકવા. આ ઉપાય કરવાથી માતા લક્ષ્મી કૃપાળુ રહે છે.

નોંધનીય છે કે મહાશિવરાત્રી હિંદુ ધર્મમાં સૌથી શુભ તહેવારોમાંનો એક છે. આ મહાન તહેવાર શિવ અને શક્તિનું પ્રતીક છે અને ભોળાનાથના ભક્તો માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોય છે. હિંદુ પંચાંગ પ્રમાણે મહાશિવરાત્રિ દર વર્ષે માઘ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિના ઉજવવામાં આવે છે.

આ દિવસે શિવભક્તો મંદિરોમાં જાય છે અને ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરે છે અને મંત્રોચ્ચાર કરે છે. આ સાથે ભક્તો પણ આ દિવસે વ્રત રાખે છે અને ભગવાન શિવના આશીર્વાદ માટે પ્રાર્થના કરે છે. પરંતુ આ વર્ષે મહાશિવરાત્રીની તારીખને લઈને લોકોમાં મૂંઝવણ છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ આ વર્ષે મહાશિવરાત્રી ક્યારે ઉજવવામાં આવશે, પૂજાનો શુભ સમય પણ જાણી લો.

Whatsapp-channel Whatsapp-channel

09 February, 2024 10:02 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK