યશ ચોપડાની તબિયત ખરાબ થતાં દાખલ કરાયા લીલાવતી હૉસ્પિટલમાં
હકીકતમાં ૧૦ ઑક્ટોબરે અમિતાભ બચ્ચનના બર્થ-ડે ફંક્શનમાં હાજરી આપીને ઘરે આવ્યા ત્યારે જ તેમને તબિયતમાં સમસ્યા જેવું લાગતાં તેમણે પરિવારજનોને એ વિશે જાણ કરી હતી. શરૂઆતમાં તો તેમને થોડો સમય ઘરે જ સારવાર આપવામાં આવી હતી, પણ સતત ડૉક્ટરો નજર રાખી શકે એ માટે તેમને પછીથી હૉસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.
નોંધનીય છે કે યશ ચોપડાએ ગયા મહિને જ ફિલ્મ-ડિરેક્શનમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી અને હવે તેઓ ૧૩ નવેમ્બરે રિલીઝ થનારી પોતે ડિરેક્ટ કરેલી છેલ્લી ફિલ્મ ‘જબ તક હૈ જાન’ની રિલીઝની રાહ જોઈ રહ્યા છે.
ADVERTISEMENT
યશ ચોપડા વિશે વધુ વાંચો