હું મારા દરેક પાત્રને પ્રામાણિકતાથી ભજવવાની ઇચ્છા રાખું છું : વિકી
વિકી કૌશલ
વિકી કૌશલે ‘રાઝી’, ‘સંજુ’ અને ‘મનમર્ઝિયાં’માં પોતાના અભિનયની છાપ લોકો પર છોડી છે. વિકીએ વેબ-સિરીઝમાં પણ કામ કર્યું છે. વિકીનું માનવું છે કે સફળતા અને નિષ્ફળતા એક જ સિક્કાની બે બાજુ છે. એક જ ભૂમિકામાં બંધાઈ રહેવું નથી પસંદ એવું જણાવતાં વિકીએ કહ્યું હતું કે ‘મારો એક જ પ્રયાસ રહે છે કે હું દર્શકોને મારા પર્ફોર્મન્સથી સરપ્રાઇઝ આપું. હું જે પણ પાત્ર ભજવું એમાં પ્રામાણિકતાથી કામ કરું. હું કોઈ કામની શરૂઆત કરીશ તો કદાચ એમાં સફળ ન પણ થાઉં, એથી હું ફરીથી એની શરૂઆત કરીશ. આમ જીવનમાં ઉતાર-ચડાવ તો આવ્યા જ કરશે. પરંતુ હું મારા પ્રયાસ બંધ નહીં કરું.’
વિકીએ પોતાના પર્ફોર્મન્સથી લોકોને આકર્ષિત કર્યા છે. તેને હવે એક ઍક્ટર તરીકે ઓળખ મળી છે. આ વિશે વિકીએ કહ્યું હતું કે ‘એવા ઘણા અવસર હતા ૨૦૧૮ પહેલાં જ્યારે મને ‘મસાન’ના કલાકાર તરીકે લોકો ઓળખતા હતા. પરંતુ હવે એક મોટો ચેન્જ આવ્યો છે અને મારી ઓળખ વિકી કૌશલ એક ઍક્ટર તરીકે થાય છે. હું ખૂબ જ નસીબદાર છું કે મને મહાન ડિરેક્ટર્સની સાથે કામ કરવાની તક મળી હતી. એક કલાકાર તરીકે હું ઘણુંબધું શીખ્યો છું અને એ મારા કામમાં દેખાશે. લોકોનો પ્રેમ મળવો એ મારા માટે સુંદર બાબત છે. એનાથી મને અહેસાસ થાય છે કે હું મારું જ બેસ્ટ વર્ઝન છું. એ મને અદ્ભુત ખુશી આપે છે. એક કલાકાર તરીકે માન મળવું મારા માટે મોટી વાત છે.’
ADVERTISEMENT
આ પણ વાંચો : લાસ્ટ કીમોથેરપી હોવાની ખુશી મનાવતી તાહિરા
મારા પેરન્ટ્સે મને સ્ટ્રગલ કરતાં જોયો છે. તેમણે મને ભરપૂર સપોર્ટ આપ્યો હતો. તેમણે જોયું કે કેટલાંક વર્ષો સુધી મને કામ નહોતું મળી રહ્યું અને હું માત્ર સ્ટ્રગલ જ કરી રહ્યો હતો. આખરે તેમણે જોયું કે મારું કામ લોકોને પસંદ પડી રહ્યું છે. હું મોટા લોકો સાથે કામ કરી રહ્યો છું. એથી હવે તેઓ ખૂબ ખુશ છે. હું દરેક માટે સખત ને સખત પરિશ્રમ કરવા માગું છું