સમય આવી ગયો છે આતંકવાદને જડબાતોડ જવાબ આપવાનો: વિદ્યા
વિદ્યા બાલન
વિદ્યા બાલનનું કહેવું છે કે હવે સમય પાકી ગયો છે કે આતંકવાદને જડબાતોડ જવાબ આપવામાં આવે. પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાનના કલાકારોને ભારતમાં કામ કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. એના પર પ્રતિક્રિયા આપતાં વિદ્યા બાલને કહ્યું હતું કે ‘મારું હંમેશાંથી માનવું છે કે કલાને તમામ સીમાઓ અને રાજકારણથી દૂર રાખવી જોઈએ, પરંતુ હવે લાગે છે કે સખત પગલાં લેવાની ખૂબ જરૂર છે. બસ, હવે બહુ થયું.’
આ પણ વાંચો : મલ્ટિ-સ્ટારર ફિલ્મમાં કામ કરવામાં કોઈ વાંધો નથી રિતેશ દેશમુખને
ADVERTISEMENT
કલા લોકોને એક તાંતણે બાંધે છે એ વિશે વિદ્યાએ કહ્યું હતું કે ‘વ્યક્તિગત રીતે મારું માનવું છે કે લોકોને એકસાથે લાવવા માટે કલાથી સારું માધ્યમ બીજું કંઈ ન હોઈ શકે પછી એ મ્યુઝિક હોય, શાયરી, ડાન્સ, થિયેટર અથવા તો સિનેમા હોય; પરંતુ હવે મને લાગે છે કે એના પર અમલ ન કરવો જોઈએ અને એ વિચારવું જોઈએ કે ભવિષ્ય માટે શું કરી શકાય છે. જેમ કે મેં કહ્યું એમ સમય આવી ગયો છે કે આપણે હવે કઠોર પગલાં લેવાં જોઈએ.’