Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પોતાની સ્કૂલના ટીચર્સ અને જુનિયર્સ સાથે વાત કરીને ખુશ થઈ ઊઠી માનુષી

પોતાની સ્કૂલના ટીચર્સ અને જુનિયર્સ સાથે વાત કરીને ખુશ થઈ ઊઠી માનુષી

12 May, 2020 08:14 PM IST | Mumbai Desk
Agencies

પોતાની સ્કૂલના ટીચર્સ અને જુનિયર્સ સાથે વાત કરીને ખુશ થઈ ઊઠી માનુષી

માનુષી છિલ્લર

માનુષી છિલ્લર


માનુષી છિલ્લર નવી દિલ્હીની તેની સ્કૂલના ટીચર્સ અને જુનિયર્સ સાથે વર્ચ્યુઅલી વિવિધ વિષય પર ચર્ચા કરીને ખુશ થઈ ગઈ હતી. લૉકડાઉન હોવાને કારણે તે અગિયારમા અને બારમા સાયન્સના સ્ટુડન્ટ્સ સાથે વર્ચ્યુઅલી કનેક્ટ થઈ હતી. અક્ષયકુમાર સાથેની ‘પૃથ્વીરાજ’ દ્વારા માનુષી બૉલીવુડમાં એન્ટ્રી કરવાની છે. ટીચર્સને જોઈને પોતાની લાગણી વ્યક્ત કરતાં માનુષીએ કહ્યું હતું કે ‘આજે મારી સ્કૂલના ટીચર્સને જોઈને અને મારા જુનિયર્સ સાથે ચર્ચા કરીને ખૂબ સારું લાગ્યું હતું. એ ખરેખર આહલાદક અનુભવ હતો. જો હાલમાં કોરોનાનું જોખમ ન હોત તો હું ચોક્કસ પર્સનલી ત્યાં ગઈ હોત. હું મારી સ્કૂલને અને ટીચર્સને ખૂબ પ્રેમ કરું છું. તેમણે મારા જીવનને આકાર આપ્યો છે. મારા આવનારા સમયને માણવાલાયક અને ભવ્ય બનાવવા માટે હું હંમેશાં તેમની ઋણી રહીશ. તેમની સાથે વાત કરીને મને મારી સ્કૂલની ખૂબ યાદ આવી ગઈ છે. સપનાઓને પૂરા કરવા માટે કદી પણ હાર ન માનવી જોઈએ, પછી ભલે લાઇફમાં કંઈ પણ સંકટ આવે. આ આપણાં બધા માટે લાગુ પડે છે. ખાસ કરીને આજે, જ્યારે લૉકડાઉન છે પરંતુ આગળ વધવુ જરૂરી છે. ક્યારે પણ પાછીપાની ન કરવી જોઈએ.’


Whatsapp-channel Whatsapp-channel

12 May, 2020 08:14 PM IST | Mumbai Desk | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK