જાણીતા અભિનેતા શરત સક્સેના 33 વર્ષ બાદ ટીવી પરદે પરત ફર્યા
અભિનેતા શરત સક્સેના
Mumbai : ટીવી લોકપ્રિય માયથોલોજીકલ સિરિયલ ‘રાધાકૃષ્ણ’માં ઓડિયન્સને ઘણા નવા ધમાકા જોવા મળી રહ્યા છે. હવે દર્શકોને એક નવી એન્ટ્રી જોવા મળશે. બોલિવૂડના એક્ટર શરત સક્સેના આ રોલ અદા કરવાના છે. શરત સક્સેનાએ બોલિવૂડમાં ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે જેમાં અમિતાભ બચ્ચનની ‘અગ્નિપથ’, ‘બાગબાન’ અને સૈફ અલી ખાનની ‘એજન્ટ વિનોદ’, ‘રેસ 3’, ‘ફિર હેરા ફેરી’, ‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’ જેવી ઘણી મોટી ફિલ્મોના નામ સામેલ છે. આ સિવાય તેમણે મલયાલમ, તમિળ અને તેલુગુ ફિલ્મોમાં પણ પોતાના અભિનયનો પરચમ ફેલાવ્યો છે.
આ પણ જુઓ : 90ના દાયકાની યાદોઃ એ બૉર્ડ ગેમ્સ જે તમને લઈ જશે તમારા બાળપણમાં...
શરત સક્સેનાએ 1988માં ચર્ચિત ટીવી શો ‘મહાભારત’માં કામ કર્યું હતું ત્યાર બાદ 33 વર્ષ બાદ તેઓ સ્ટાર ભારતના શો ‘રાધાકૃષ્ણ’માં મહત્ત્વના રોલમાં જોવા મળશે. શોના એક ઈમ્પોર્ટન્ટ ટ્રેક માટે આ એન્ટ્રી થવાની છે. આ રોલની કાસ્ટિંગમાં ઘણા મોટા નામ સામેલ હતા જેમાં શરત સક્સેનાને ફાઇનલ કરવામાં આવ્યા છે. તેઓ શોમાં પ્રલંભાસુરના રોલમાં જોવા મળશે જે કૃષ્ણના જીવનમાં નવી બાધા ઉત્પ્ન્ન કરશે.