સંજય દત્તની મતભેદ ભુલાવીને કંગના રનૌતનેય આમંત્રણ
હવે સંજયે તેના કંગના રનૌત સાથેના મતભેદોનો પણ અંત લાવી દીધો છે. આ નવા સમીકરણના ભાગરૂપે કંગનાને પણ સંજયના ઘરે યોજાયેલી ‘માતા કી ચૌકી’માં આમંત્રણ આપવામાં આવ્યું હતું. કંગનાએ પણ આ આમંત્રણ સ્વીકારીને ફંક્શનમાં હાજરી આપી હતી. નોંધનીય છે કે કંગના એક તબક્કે સંજયની પત્ની માન્યતાની બહુ નજીક હતી, પણ તેણે સંજય ગુપ્તાની ‘શૂટઆઉટ ઍટ વડાલા’ સાઇન કરતાં તેના અને સંજય દત્ત વચ્ચે મોટો અણબનાવ થઈ ગયો હતો.