Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > વિશ્વમાં ઘટી રહેલી દુઃખદ ઘટનાથી પોતાને અસહાય અનુભવે છે હૃતિક રોશન

વિશ્વમાં ઘટી રહેલી દુઃખદ ઘટનાથી પોતાને અસહાય અનુભવે છે હૃતિક રોશન

09 August, 2020 11:43 AM IST | Mumbai Desk
Agencies

વિશ્વમાં ઘટી રહેલી દુઃખદ ઘટનાથી પોતાને અસહાય અનુભવે છે હૃતિક રોશન

હ્રિતિક રોશન

હ્રિતિક રોશન


દેશ અને દુનિયામાં ઘટી રહેલી એક પછી એક ભયાવહ ઘટના‍થી હૃતિક રોશન પોતાની જાતને ખૂબ અસહાય અનુભવી રહ્યો છે. વિશ્વમાં એક તો પહેલેથી જ કોરોનાની મહામારીએ સૌની કમર તોડી નાખી છે. એવામાં અનેક એવી ઘટના પણ બને છે જે સાંભળતાં જ હચમચી જવાય છે. એને લઈને ઇન્સ્ટાસ્ટોરી પર હૃતિકે લખ્યું છે, ‘આ ખૂબ કઠિન છે. છતાં આશાનાં કિરણ જગાવી રાખવાં જોઈએ. વિશ્વમાં જે ભયાવહ ઘટનાઓ ઘટી છે એને જોઈને હું નિઃસહાય મહેસૂસ કરી રહ્યો છું. બૈરુત ધડાકો, ઍર ઇન્ડિયા પ્લેન ક્રૅશ, મૉરિશ્યસ પર્યાવરણ ઇમર્જન્સી, પૂર અને આફત તથા ધરતીકંપ. છેલ્લે આર્કટિક આઇસ શેલ્ફનું તૂટવું. આ બધી ઘટનાઓ ત્યારે ઘટી જ્યારે આપણે મહામારીનો સામનો કરી રહ્યા છીએ. જેમણ પણ જીવ ગુમાવ્યા છે તેમના આત્માને શાંતિ મળે એ માટે પ્રાર્થના કરું છું. સાથે જ શોકાતુર પરિવાર માટે પણ સાંત્વના વ્યક્ત કરું છું. આ કપરા સમયમાં આપણે એકબીજાને મદદ કરીએ અને સ્ટ્રૉન્ગ બનીએ. આ સમય પણ પસાર થઈ જશે. આપણને જરૂર માર્ગ મળશે.’


Whatsapp-channel Whatsapp-channel

09 August, 2020 11:43 AM IST | Mumbai Desk | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK